________________
૩૦૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાશ્રી : ગૃહસ્થી તો હું છું. ઘેર વાઈફ તોંતેર વર્ષના છે અને અત્યારે એમની જોડેય વાતચીતો બધી કરવાની. એ કહે, “કેરીઓ મોકલજો.” તો મોકલાવુંય ખરો. નવસારી હતા ત્યારે કહે, “કેરીઓ મોકલજો', તે મોકલી હતી. ત્યાંથી વડોદરાવાળા એક છોકરાને કહી દીધેલું કે “સારી-સારી કેરી જોઈને, ત્યાંથી લઈને આપી આવ.'
પછી ખબર આવી કે “તમારે અમેરિકા જવાનું છે માટે વહેલા આવજો અહીં વડોદરે, એટલે પંદર દહાડા રહેવાય. પછી ત્યાં જજો. અને મારે જમાડવા છે બધા આપણા મહાત્માઓને, હજારેક માણસને” કહે છે. ત્યારે મેં કહ્યું, “સારું, જમાડીને પછી જઈએ ત્યાં.”
એટલે ગૃહસ્થી તો હું છું, તમે ક્યાં ગૃહસ્થી છો ? છતાંય વીતરાગતાથી રહું છું. એય કહે, “વીતરાગ રહો.’ એમને વિધિ હલ કરવાની પાછી, દરરોજ. એય કહે છે, “મારે મોક્ષે જ આવવું છે, મારે બીજે નહીં.” જેને મોક્ષે આવવું હોય તે મારી જોડે ચાલો. શાના ગૃહસ્થી કહેવાય ? ગૃહસ્થી તો ઘરમાં કકળાટ કરતો હશે ?
પ્રશ્નકર્તા : દાદા, કોઈએય ના આવે એમાં તો, કોઈનોય નંબર ના લાગે.
દાદાશ્રી : ત્યારે ગૃહસ્થી તો કેવો હોય ? બહાર લડીને આવે પણ ઘરમાં લઢવાડ ના હોય.
સીધું બોલવાથી મોક્ષ એટલે આ ફેરે આ સરળ માર્ગ મળ્યો છે, તે ઉકેલ લાવી નાખો. બીજે બધે આ પારકામાં પેસશો નહીં હવે. આ સરળ માર્ગ આવ્યો છે, એ તમારી ભયંકર પુણ્યેય કહેવાય ! આ મોટી પુણ્યય કહેવાય. સરળ, સીધો, સહજ અને સુગમ માર્ગ. સંપૂર્ણ રીતે સમજાય એવો અને અવિરોધાભાસ ! માટે હવે એનો ઉકેલ લાવી નાખો. જે થવું હોય તે થાવ. રહેવું હોય તો રહો અને જવું હોય તો જાવ, પણ મોઢે ના બોલવું. મોઢેથી ઘરમાં બધાને કહેવું કે “તમારા વગર ગમતું નથી અમને.” તમે