________________
[૧૭] વિષય બંધ થયા પછી મતભેદ બંધ
૩૧૧
ગઈ ?” તમે તો એમેય કહો, હું કોની મા કહું ? એટલે “પેલી કંઈ ગઈ” એમ કહેવું પડે. એટલે “હીરાબા' કહું છું.
પ્રશ્નકર્તા : વડોદરામાં રહે છે ને ?
દાદાશ્રી : વડોદરામાં છે ને ! હું “હીરાબા' કહું છું. ત્યાં એમની સાથે મતભેદ કોઈ દહાડો નહીં પડેલો.
મારે તો કકળાટ ના થાય એટલા માટે એમને તમે લ્યો, ને તમે આ લ્યો ને એવું તેવું ના કરું. “હીરાબા કેમ છો’ એમ કરીને બોલાવું. તમે એવું ના કહેશો. કારણ હું નિવૃત્ત થયેલો હતો.
પ્રશ્નકર્તા : અમે બેન સુધી તો આવ્યા છીએ, હજુ બા સુધી નથી આવ્યા.
વિષય બંધ, ત્યારથી સંબોધ્યા “બા” પ્રશ્નકર્તા ઃ દાદા, તમે ક્યારથી હીરાબા કહેવાનું ચાલું કર્યું?
દાદાશ્રી : જ્યારથી હીરાબાની સાથે વિષય મારો બંધ થયેલો ત્યારથી હું “હીરાબા કહું છું એમને. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલા જે હતી તે વિષયની સાથમાં, સોબતમાં તો પોપટમસ્તી થાય થોડીઘણી. લોક જાણે કે આ પોપટ પોપટીને મારવા માંડ્યું ! પણ હોય એ પોપટમસ્તી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. આ અમારો જાત અનુભવ કહીએ છીએ. આ તો આપણું જ્ઞાન છે તેને લઈને ઠીક છે, નહીં તો જ્ઞાન ના હોય તો તો ડંખ માર્યા જ કરે છે તો અહંકાર ને ! એમાં અહંકારમાં એક ભાગ હોય કે “એમણે મને ભોગવી લીધી” અને આ કહે, “એણે મને ભોગવી લીધો.” પણ એ અહંકારમાં, જ્યારે અહીં આગળ (આ જ્ઞાન પછી) નિકાલ કરે છે એવું. તોય પણ, પેલી ડિસ્ચાર્જ કચકચ તો ખરી જ. એ કચકચ સાચી કચકચ નથી પણ ડિસ્ચાર્જ કચકચ છે. પણ તેય અમારે નહોતી એવી. મતભેદ નહોતો કોઈ જાતનો.