________________
[૧૬.૨] દાદા કહેતા હીરાબાને - ‘તમારા વગર ગમતું નથી”
૩૦૩
પ્રશ્નકર્તા : વ્યવહારિક રહેવું.
દાદાશ્રી : અમે હીરાબા જોડે રાખતા'તા ને વ્યવહારિકતા. વ્યવહારિકતા એટલે એમની માંદગીમાં આપણે એમના માટે બધીય કાળજી રાખવી જોઈએ. પણ એ મરી જાય તો કંઈ મરી જવાનું નહીં બા ! એનું નામ વ્યવહારિકતા. એમને દુઃખ ના પડે એ આપણું લક્ષ હોવું જોઈએ, બસ બીજું કાંઈ નહીં.
ભાવ સુંદર રેડો છે. આ અમે હઉ આટલી ઉંમરે હીરાબાને કહીએ છીએ, “હું બહારગામ જઉ છું તે તમારા વગર મનેય ગમતું નથી.” હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? એટલે જો આવું કહીએ તો સંસાર લુખ્ખો ના પડી જાય. હવે તું ઘી રેડ ને બળ્યું મહીંથી, રેડીશ નહીં તો લુખ્ખ આવશે રેડ સુંદર ભાવ ! આ બેઠા ને, હું કહું ને ! મને કહે છે, “હું હઉ તમને સાંભરું ?” કહ્યું, “સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?” અને ખરેખર સાંભરેય ખરા, ન સાંભરે એવું નહીં !
આદર્શ હોય અમારી લાઈફ, હીરાબાય કહે, ‘તમે વહેલા આવજો.”
પ્રશ્નકર્તા : આપે હીરાબા પાસે રજા માગેલી ખરી કે હવે અમે જઈએ ?
દાદાશ્રી : હા, એ આપે. “વહેલા આવજો” એવુંય કહે અને કહે, બધા લોકોનું ભલું થાય એવું કરો.”
મનમાં રાખીએ પ્રેમ, પણ થોડો ખુલ્લો કરો તે
એટલે અમારું બધું કામા જ હોય. હીરાબા તોંતેર વર્ષના તોય મને કહે છે, “તમે વહેલા આવજો.” મેં કહ્યું, “મનેય તમારા વગર ગમતું નથી ” એ ડ્રામા કરીએ તો એમને કેટલો આનંદ થઈ જાય ! વહેલા વહેલા આવજો” કહે છે. તે એમને ભાવ છે એટલે એ કહે છે ને ! એટલે અમેય આવું બોલીએ. બોલવાનું હિતકારી હોવું જોઈએ.