________________
[૧૬.૨] દાદા કહેતા હીરાબાને - ‘તમારા વગર ગમતું નથી”
૩૦૧
દાદાશ્રી : અમારો ભાવ છે, સાચા હૃદયની વાત છે. એ સમજે કે ખરેખર દાદાને મારી પર લાગણી છે. તમે સાચા દિલથી કહો તો બધું માને. અમારું દિલ સાચું છે ને ! તમારે કહેવું સુપરફલુઅસ, આ જેટલું રહેવું જોઈએ એટલું જ. અને આ બધા મહીં અડવા દે છે, હોમ વિભાગને અડવા દે છે.
ધણીપણું છોડી દીધેલું માટે ભગવાને વ્યવહાર ઉપલક કહ્યો, સુપરફલુઅસ. એને લૌકિક કહે છે, લૌકિક. કો'ક માણસ મરી જાય તો બધા રડવા ભેગા થાય, ત્યારે કહે, “બધા શું કરવા રડો છો ?” ત્યારે કહે, “લૌકિક કરીએ છીએ.” અલ્યા, હવે લૌકિકનો ખરો મીનિંગ શું ? ત્યારે કહે, “એ તો અમને ખબર નથી.” લૌકિક એટલે સુપરફલુઅસ, ખાલી દેખાવ.
પ્રશ્નકર્તા: હીરાબાને કેવું તમારું બધું બરાબર જ લાગે છે, સાચું જ લાગે છે અને અમે બોલીએ તો ઘરવાળાને છેતરે છે એવું લાગે છે.
દાદાશ્રી : ભઈ, મેં તો પિસ્તાળીસ વર્ષથી ધણીપણું છોડી દીધેલું છે ! બોલો, તમે છોડ્યું કદી ? ધણીપણું છોડી દીધું ત્યારે વિશ્વાસ બેઠો છે અને અત્યાર સુધી લગામ પકડેલી હોય તો એ વિશ્વાસ શી રીતે બેસે તે ઘડીએ ? ધણીપણું પિસ્તાળીસ વર્ષથી છોડી દીધેલું ત્યારે વિશ્વાસ બેઠો, નહીં તો બેસે નહીં ને વિશ્વાસ ?
દાનત ચોખ્ખી જોઈશે એમને તોંતેર વર્ષ થયા, અમને પંચોતેર વર્ષ થયા પણ હું કહું કે “તમારા વગર ગમતું નથી.”
પ્રશ્નકર્તા : હું તો દર વખતે એવું કહું છું પણ એ એમ કહે છે કે “તમે જૂઠું બોલો છો, જો ગમતું ના હોય તો તમે બહાર જતા કેમ રહો છો ?'
દાદાશ્રી : “હા પણ જૂઠું બોલું છું ને કહીએ. “જૂઠું બોલું છું