________________
[૧૬.૧] ગમ્મત કરી, હસાવે હીરાબાને
૨૮૭
હીરાબાને કંઈ છેતરવાના છીએ આપણે ? અને હવે આબરૂ તો ગયેલી જ છે, હવે ક્યાં મારી બીજી આબરૂ જવાની છે ? છે જ કંઈ આબરૂ તે ?
ગમ્મત નથી કરતો ? તમે જુઓ છો ને, ત્યાં ? નીરુમા : જોઉં છું ને ! દાદાશ્રી : આપણે તો સામાને કેમ આનંદ થાય એ જોઈએ છીએ. પ્રશ્નકર્તા : નિર્દોષ આનંદ, નિર્દોષ સુખ. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : હીરાબાએ કોઈ દિવસ ગમ્મત કરેલી ?
દાદાશ્રી : એકવાર મામાની પોળમાં અમારા ઘરમાં રિપેરિંગ ચાલતું હતું તે હું મુંબઈથી આવ્યો, ત્યારે હીરાબા કહે કે ઘડિયાળ ચોરાઈ ગયું !ત્યારે મેં કહ્યું કે “બહુ સારું થયું. હવે નવું આવશે.” ત્યારે હીરાબા કહે છે કે હું તમારી પરીક્ષા કરતી હતી.”
દાદા દેખાડે ભોળપણ અમને હીરાબા કહે છે, “તમે તો ભોળા છો.” મેં કહ્યું, “હા, તદન”, શું કહ્યું?
પ્રશ્નકર્તા : સાચી વાત. દાદાશ્રી : કારણ કે ભોળા કહે છે ને ?
પ્રશ્નકર્તા : હા દાદા. પણ આ ઉંમરેય પેલે દહાડે જ્યારે તમને કફ થઈ ગયો અને આખી રાત ઊંધ્યા નહીં તે હીરાબા વાત કરતા હતા ત્યારે હું એમના મોઢાના ભાવ જોતો હતો. મને કહે, “ઊંધ્યા નથી, આટલી બધી શરદી થઈ ગઈ છે ! હું જઈને કહું કે શરદી શું કામ કરી ?”
દાદાશ્રી : પછી મેં ગમ્મત કરી, મેં કહ્યું, “હીરાબાને કહો ને કે દાદાને જોવાય ના આવ્યા. ત્યારે એમણે કહેવડાવ્યું, ‘હું શી રીતે