________________
[૧૬.૨] દાદા કહેતા હીરાબાને – ‘તમારા વગર ગમતું નથી”
૨૯૩
લાગણી હોય છે મારી. એમાં ચેન્જ (ફેરફાર) હોતો નથી. તમને કોઈ વખત એમ લાગે કે આજ દાદામાં ચેન્જ લાગે છે, પણ એ હોતો નથી ખરી રીતે. એનું નામ જ ઈમોશનલ નહીં.
દાદા બતાવે લાગણીનો મૌલિક અર્થ પ્રશ્નકર્તા : લાગણીઓ સહિત ઉપલક કેવી રીતે થવાય ?
દાદાશ્રી : અરે, અમે આ હીરાબાની લાગણીઓ રાખતા હતા ને, ઠેઠ સુધી. અમે તો અમેરિકા જતા હતા તોય યાદ કરતા હતા અને અહીં આવીને એમને કહેતા હતા, “અમને તમારા વગર ગમતું નહોતું એવું બોલતા હતા. તેમને કોઈ કહે “મને તમારા વગર ગમતું નથી” તો તમને આનંદ થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા ઘણું ગમે.
દાદાશ્રી : ત્યાર પછી આ જગતમાં બધું શું શું ગમે છે એ જોવું જોઈએ. અને લાલ મરચું દેખાડીએ તો શું થાય ? તે આપણે કોઈને એને ગમતું બોલીએ અને આનંદ થાય એવું બોલીએ એ આત્માનો ગુણ નથી, પુદ્ગલનો છે. તે આ લોકો આત્માનો ગુણ માનીને વાપરતા નથી.
પ્રશ્નકર્તા : એટલે લોકો ઉપલક જુદી ભાષામાં લઈ ગયા. દાદાશ્રી : ઉપલકની વાત જ સમજતા નથી. પ્રશ્નકર્તા : ઉપલક એટલે તિરસ્કારની વાતમાં લઈ ગયા !
દાદાશ્રી : કંઈ લેવાદેવા નહીં, એવું ઉપલક અને અમારે લેવાદેવા બધું જ. ઠેઠ સુધી, આત્મા સુધી લેવાદેવા. તમે તો ઉપલક માનો, નહીં ?
પ્રશ્નકર્તા : દાદા, અહીંયા દરેક નવી વાતનો નવો અર્થ નીકળે છે. અહીંયા બધા જ શબ્દોનો નવો અર્થ નીકળે છે, જે ક્યાંય બહાર સાંભળ્યો નથી.
દાદાશ્રી : બહાર સાંભળ્યો નથી, નહીં ? અક્રમેય ક્યાં સાંભળેલું? નીરુબેન કહે ને, “આટલી બધી લાગણીઓ શી રીતે તમે બાની