________________
૨૯૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
ખલાસ થઈ ગયેલી હોય. આ બધી યાદશક્તિઓ ખલાસ થઈ ગયેલી હોય પણ અમને દેખાય. ઠાકોર દેખાય, ફલાણા દેખાય, ફલાણા દેખાય, બધા દેખાય. અને તમને યાદ આવે. સમજ પડીને ?
પ્રશ્નકર્તા : હં. દાદાશ્રી : અમને દેખાય આમ. એટલે હીરાબા દેખાય પાછા.
હોય સાચું પણ અંદર અડવા ના દઈએ આજેય અમે આટલી ઉંમરે હીરાબાને કહીએ, કે “તમારા વગર અમને ગમતું નથી. આ પરદેશે પણ તમારા વગર મને ગમે નહીં? એટલું કહીએ. શું કહીએ ?
પ્રશ્નકર્તા: તમારા વગર ગમતું નથી. દાદાશ્રી : તે ખુશ થઈ જાય, બસ એટલું જ. પ્રશ્નકર્તા: બાને સાચુંય લાગે.
દાદાશ્રી : હા.. સાચું જ હોય, પણ મહીં અંદર ના અડવા દઈએ. બહારનું બહાર.
પ્રશ્નકર્તા : એટલે એ કેમનું સાચું હોય ?
દાદાશ્રી : અંદર અડવા ના દઈએ. છેતરપીંડી નહીં, એ હોય સાચું પણ વ્યવહાર પૂરતું જ. બહારનું બહાર, તમેય જુદા ને હુંય જુદો, તમારે અંબાલાલભાઈની જોડે સંબંધ, મારી જોડે તો નહીં. એટલે અમે એડજસ્ટ થતા બધા જોડેભાગીદારો જોડે, સંબંધીઓ જોડે, બીજેય બધે એડજસ્ટમેન્ટ. જોયેલું ને તમે ? પ્રશ્નકર્તા: હા, દાદા.
વ્યવહારમાં હોવા છતાં છૂટેલા બધા આંકડાથી દાદાશ્રી: મારે આ ભાંજગડ ના જોઈએ. મારે તો બોજા રહિત ફરું છું, તે દુનિયામાં કશું બોજો જ નથી ને ! હીરાબા જોડેય (અંદરથી) છૂટું