________________
[૧૬.૨] દાદા કહેતા હીરાબાને – ‘તમારા વગર ગમતું નથી
૨૯૫
દાદાશ્રી : હા, લોકો રાહ જોતા હશે. બાધાઓ રાખતા હશે હજુ એ મહીં બીજા. અમદાવાદ જઈએ ને, તે આખો રૂમ ભરેલો હોય, બસ્સો માણસનો. તે સાડા અગિયાર થાય ત્યાં સુધી મહીં ઊઠે નહીં કોઈ. આ ઠંડક મેલીને કોણ ઊઠે ? આ વાતાવરણ ! વર્લ્ડની અજાયબી જેવું વાતાવરણ ! તે પછી મારે છેક સાડા અગિયાર થાય ત્યારે એમ કહેવું પડે, “દાદા ભગવાનના અસીમ જય જયકાર...” એટલે બધા સમજી જાય કે આ દાદાને જવું છે. તે કંઈ સુધી આ તો ? રાત્રે સૂઈ તો જવું પડે ને ? આ તો મીઠું જ લાગે પણ ક્યાં સુધી બેસવાનું ? આ બેન કહે છે, “તમે જશો પછી મને ગમશે નહીં. પણ હવે ક્યાં સુધી ? એવું ચાલતું હશે ?
પ્રશ્નકર્તા : આ બધા એવું જ કહે છે, કાલથી તકલીફમાં મૂકાઈ જઈશું.
દાદાશ્રી : હા, પણ એ તો ત્યારે મને કંઈ ગમતું હશે ? પ્રશ્નકર્તા ઃ તમને ના ગમે, દાદા ? તમે તો વીતરાગી !
દાદાશ્રી : આ વીતરાગી છીએ, પણ અંબાલાલ ખરા ને પાછા. અંબાલાલ નહીં ? મને પંચોતેર થયા, મારા વાઈફ તોંતેર વર્ષના છે. એમને મારે કશું નહીં કહેવું પડતું હોય ? એ મને સંભાર સંભાર કરે છે. તે મેં કહ્યું, “મનેય તમારા વગર ગમતું નથી, તમે સાંભર સાંભર થયા કરો છો.” એમને એટલો બધો આનંદ થાય કે ન પૂછો વાત !
અમને યાદગીરી નહીં પણ દેખાય પ્રશ્નકર્તા : દાદા, તમને તો સાંભરતુંય ના હોય કોઈ.
દાદાશ્રી : ના, બધું સાંભરે અમને. તે તમે ભૂલો છો, બધુંય એ સાંભરવાનું. એટલે યાદ ના હોય, અમને યાદશક્તિ બિલકુલ હોય નહીં.
પ્રશ્નકર્તા : હિં, તો શું હોય ? દાદાશ્રી : યાદશક્તિ આખી ખલાસ થઈ ગયેલી હોય, બુદ્ધિ