________________
૨૯૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
રાખી ?” નીરુબેનને આમ કહું હું, કે “તમારે જ્યારે અનુકૂળ હોય ત્યારે અહીંથી જતા રહેજો પણ મને પૂછીને જજો.” અને આમ એમને માટે લાગણીઓ ખરી. આમ તો એ મનમાં માની ના બેસે કે મારા વગર દાદાને ચાલતું નથી. એવું ખોટું માની બેસવું, દાદાને કોઈનું ઓઠીંગણ જ નથી. છતાં ‘તમારે લીધે અમારું ગાડું ચાલે છે એવું બોલીએ. નીરુબેનને કહુંય ખરો. લાગણીઓ તો રાખવી પડે ને ? તમારા માટે અમને લાગણીઓ હશે કે રાગ હશે ?
પ્રશ્નકર્તા : ના, દાદા. લાગણીઓ.
દાદાશ્રી : લાગણીઓ. આ તો જ્ઞાની પુરુષ થઈને આવું બધું પૂછે છે ? “તારે કેમનું ચાલે છે ? ગાડું કેમનું ચાલે છે ?” અલ્યા મૂઆ, તે ના પૂછે ત્યારે શું કંઈ રડાવડાવે એને ? એને ટાઢક વળે એવું ના બોલવું પડે ?
પ્રશ્નકર્તા : બરોબર છે, દાદા. - અમે વીતરણ, અંબાલાલ લાગણીવાળા
દાદાશ્રી : આ દાદાની વાણી, દાદાનું વર્તન અને વિનય મનોહર છે ને, એટલે મનનું હરણ કરે એવા કેવા ?
પ્રશ્નકર્તા : મનનું હરણ કરે એવા.
દાદાશ્રી : આ ત્રણ જોઈએ. આ ત્રણ જોઈએ કે ના જોઈએ ? ડિગ્રી-બિગ્રી ના જોઈએ ?
પ્રશ્નકર્તા : જોઈએ.
દાદાશ્રી : જેના વાણી, વર્તન અને વિનય મનોહર હોય એ ડિગ્રી હોવી જોઈએ. અમારી વાણી ભલે કડક હોય પણ મનને હરણ કરે એવી હોય. કેવી ? મન બીજી જગ્યાએ જતું બંધ થઈ જાય, ચૂપ થઈ જાય. આમ જોયા જ કરે.
પ્રશ્નકર્તા: આ બધા તો રાહ જોતા હોય છે કે ક્યારે જોબ પૂરી થાય ને દાદા પાસે જઈએ ?