________________
૨૯૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : હા, અકસ્માત થાય.
દાદાશ્રી : લાખો માણસ મરી જાય. ત્યારે માણસ ઈમોશનલ થવાથી અંદર કેટલાય જીવો ખલાસ કરી નાખે છે ! એટલે અમે
કરી નાખે છે એટલે એમ ઈમોશનલ ના થઈએ.
અમારી લાગણીઓ કેવી હોય ? એકદમ ઊભી થઈને આથમી જાય એવી ના હોય. અમારી પરમેનન્ટ લાગણીઓ હોય. લોકોને ઊભી થાય ને એકદમ આથમી જાય. આપણા લોકો નથી કહેતા કે મારો છોકરો ફર્સ્ટ કલાસ છે, આ બધી વાતો કરે મોટી મોટી અને કલાક પછી એ છોકરાના હાથે વીસ કપ-રકાબી પડી જાય, એના હાથે તૂટી જાય ત્યારે એના ફાધર કહે કે “યૂઝલેસ ફેલો (નકામો માણસ).” એમ એનો એ જ અભિપ્રાય આપનારો માણસ, સો-સો વખત અભિપ્રાય ફેરવે છે, ત્યારે છોકરો શું કહે કે “પપ્પાજી, હવે મારે તમારું સર્ટિફિકેટ જોઈતું નથી, મારું કોલેજે આપ્યું છે, એ સર્ટિફિકેટ કાયમનું છે.” કૉલેજે આપેલું કાયમનું હોય ને ! અને આ મા-બાપનું તો સર્ટિફિકેટ ઘડીકમાં આમ ફરે, ઘડીકમાં તેમ!
એટલે આ ખોટી લાગણીઓ છે, યૂઝલેસ લાગણીઓ. અમે કોઈ સર્ટિફિકેટ ન આપીએ. અમે હીરાબા માટે કાયમની લાગણીઓવાળા. કોઈ કહે કે તમે જ્ઞાની છો છતાંય સ્ત્રી (વાઈફ) સાથે લાગણીઓ રાખો છો ? અમારી કાયમની, પરમેનન્ટ લાગણી. ઘડીકમાં આમ વધી ગઈ ને ઘટી ગઈ, એ ના હોય અમારે. ગુરુ-લવું ના થાય. એ અવળું કરે તોય લાગણી તેની તે રહે. કારણ કે બુદ્ધિ એ ભાંજગડ કરે ને, અવળું કરે તો ! આ સમજાયું ? બુદ્ધિ ભાંજગડ કરે. અને અમારે બુદ્ધિ નહીં ને ! એટલે તમે અવળું કરો તોય પ્રેમ, સવળું કરો તોય પ્રેમ.
પ્રશ્નકર્તા : અને પેલી જે લાગણીઓ આમ ચઢ-ઊતર કર્યા કરે એ બધી આસક્તિ કહેવાય.
દાદાશ્રી : હં, જે ચઢ-ઊતર થયા કરે એ બધી આસક્તિ, એ લાગણીઓ નહીં.
જ્યારથી તમે અહીં આવ્યા છો ને, ત્યારથી તેની તે જ પ્રકારની