________________
૨૯૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાશ્રી : હા, બરોબર છે. પણ અંદરખાને હીરાબા જાણે કે મારી લાગણી બહુ છે એમના પર.
પ્રશ્નકર્તા : એ તો કહે છે જ ને, “મારું બહુ સાચવે છે દાદા, હું કહું તો કેવા આવે છે મુંબઈથી, દોડતા !!
દાદાશ્રી: હા, હા, બરોબર. એ અંદરખાને જાણે કે મારી લાગણી છે. તે તો રાખવી પડે ને ! બધાની લાગણી રાખવી જોઈએ. એવું કંઈ એમના એકલાની થોડી છે લાગણી ? હું તો બધાની રાખ્યું પણ સુપરફ્યુઅસ, અડે-કરે નહીં.
પ્રશ્નકર્તા: કાલે તમે દીપકને કહ્યું'તું કે “મને તો તારા વગર ગમતું નથી. આવજે તું.” તો હવે કંઈ એના વગર તમને નથી ગમતું, દાદા ?
દાદાશ્રી : એ તો ના આવે તોય ગમે અને આવે તોય ગમે. પણ આપણે એમ કહીએ તે પેલાને તો પાણી ચઢે ને !
ફેર, જગતની તે દાદાની લાગણીમાં પ્રશ્નકર્તા : દાદા, આ મહાવીર ભગવાનને લાગણી થતી હશે ?
દાદાશ્રી લાગણી ના થાય તો મહાવીર ભગવાન જ ના કહેવાય ! એ કંઈ જડ હોતા હશે ?!
પ્રશ્નકર્તા : એમને થાય, દાદા ? દાદાશ્રી : શું એ પૂતળું, જડ હોય ?
અમનેય હીરાબાની લાગણીઓ થાય, આ બધાની હઉ લાગણીઓ થાય. નજીકના હોય ને જે, જેના પગ રખાયા (રબડાવવું = ફેરો ખવડાવવો) હોય, જેણે કંઈ ફેરા ખાધા હોય, ધક્કા ખાધા હોય..
પ્રશ્નકર્તા : દાદા, આમાં લાગણીથી ફાયદો શું થાય ? લાગણી હોય એ બરોબર છે.
દાદાશ્રી : ના, પણ લોકોની લાગણી હોય એવી નહીં. લોકોની લાગણી ચિંતા કરાવ્યા કરે, અમારી લાગણી એને મટાડે.