________________
[૧૬.૨] દાદા કહેતા હીરાબાતે - “તમારા વગર ગમતું નથી'
કરે ડ્રામા છતાંય સામાને લાગે મીઠું પ્રશ્નકર્તા : દાદા, તમને હીરાબા માટે કંઈ લાગણી-બાગણી થાય કે ના થાય ?
દાદાશ્રી : થાય ને ! કહીએ ને, કે “તમારા વગર ગમતું નથી.” એવું કહીએ જ છીએ ને ?
પ્રશ્નકર્તા: એ તો ખબર પડે દાદા, કે તમે આ ડ્રામેટિક બોલો છો એમ. દાદાશ્રી : કોને ખબર પડે ? પ્રશ્નકર્તા: અમને બધાને. દાદાશ્રી : ના, એ તમને ખબર પડે, એમને ના પડે. પ્રશ્નકર્તા: એમને તો બહુ સારું લાગે.
દાદાશ્રી: હા, દરેકને મીઠું લાગે. તમે તો એ જાણી ગયેલા એટલે. અને અમેય ડ્રામેટિકલી નથી બોલતા, ખરેખર જ, લાગણીથી બોલીએ છીએ.
લાગણી બધાની પણ અંદર અડે નહીં પ્રશ્નકર્તા : તમે એમને કહો છો, કે “અમને તમારા વગર ગમતું નથી', તો તમને કંઈ ખરેખર નથી ગમતું ?