________________
[૧૬.૨] દાદા કહેતા હીરાબાને – ‘તમારા વગર ગમતું નથી’
૨૯૭
કરી નાખ્યું ને, ઘર જોડેય છૂટું કર્યું, બધા જોડે છૂટું કર્યું, છતાં જઈએઆવીએ વહેવારમાં, હીરાબા ના જાણે કે છૂટું કર્યું છે. પણ મનથી મેં છૂટું કરી નાખ્યું ને ! આંકડો છોડી દીધેલો. આ તમે એન્જિન જોયેલું રેલ્વેનું ? એની પાછળ સો ડબ્બા વળગાડ્યા હોય અને સો ડબ્બા એ ગૂંથાયેલા હોય આમ આંકડાથી, પણ એની પહેલા ડબ્બાથી જ આંકડો છોડી નાખીએ તો ?
તે સો ડબ્બા છો ને ગૂંથાયેલા રહ્યા પણ પહેલા ડબ્બાનો આંકડો કાઢી નાખીએ તો આમ એન્જિન એકલું ફર્યા કરે ને ! પહેલો આંકડો જ કાઢી નાખવાનો છે, બીજું કશું કરવાનું નહીં.
પ્રશ્નકર્તા : દાદા, હીરાબાને દુઃખ નહીં થાય ? હીરાબાને તમે એમ કહ્યું ને હમણે.
દાદાશ્રી : છૂટી ગયેલું એટલે એ છોડી દીધેલું. આ બધાય આખા જગતથી છોડેલું ને ! આ દેહથીય છોડેલું.
પ્રશ્નકર્તા : બરોબર.
દાદાશ્રી : વહેવારથી બધું કરવું પડે. વહેવારથી તો તમારા વગર ગમતું નથી” એમ હઉ બોલીએ. અમે ત્યાં જઈએ ત્યારે એ કહે, “બહુ મોડા આવ્યા છો આ ફેરે તો.” તે હું કહું કે ‘પણ મનેય તમારા વગર ગમતું જ નથી. શું કરું ?' એમનું મનનું સમાધાન તો કરવું પડે ને ? એમને કિંચિત્માત્ર દુઃખ ના પડે એવું.
પ્રશ્નકર્તા : દાદા, પણ તમે હીરાબાને છેતર્યા ના કહેવાય ? દાદાશ્રી : બધું જગત જ છેતરેલું છે ને ! ક્યાં છેતરબાજી નથી ? પ્રશ્નકર્તા : ના, પણ આટલો બધો ઊંચો વહેવાર જીવ્યા !
દાદાશ્રી : એ આત્માથી તો હોય નહીં ને ! આત્મા તો આવું કરતો જ નહોતો. એ જ આપણે છીએ પહેલા જે હતા એ. આ તો કર્યા જ કરે છે. આ એ.એમ.પટેલ તો સિન્સિયર છે જ એમને, પણ હું નથી સિન્સિયર.