________________
૨૮૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
એની મેળે આવે' કહે છે. મેં કહ્યું, “ના આવે.” જરા ગમ્મત કરાવીએ એમને, આટલી ઉંમરે. એ જાણે કે હજુ આ ભોળા બાબા જેવા જ છે. અમે ભોળપણ દેખાડીએ, એટલે એ ખુશ થાય. ‘હજુ મારે સમજણ પાડવી પડે છે' કહે છે.
લઘુતમમાં રહી ગમ્મત કરાવી પમાડે આનંદ
હજુય હીરાબા જોડે બધી વાતો કરું છું. એમની ગમ્મત કર્યા કરવાનો, એટલે એમને સારું લાગે પછી, આનંદ થાય. અમે એવી વાત કરીએ કે “દાદા આવડા મોટા ભગવાન થયા, પણ જુઓ હજુ મારા આગળ તો ટાઢા પડી જાય છે ને મારો રોફ છે ને' એવું એમને લાગે. અમે એવી વાત કરીએ. એટલે પછી એમને આખી રાત ઊંઘ આવે ને સારી.
પ્રશ્નકર્તા : બધે એવું જ કરો છો.
દાદાશ્રી : સુખ થાય ને એમને ! એમને સુખ ખરેખર થતું હશે કે નહીં થતું હોય ?
પ્રશ્નકર્તા : એનું જ સુખ થાય એમને બહુ. દાદાશ્રી : હા, એમાં આપણે એમને છેતરવાનો ભાવ નથી, બાકી