________________
[૧૬] આદર્શ વ્યવહાર દાદા-હીરાબાનો
[૧૬.૧] ગમ્મત કરી, હસાવે હીરાબાને
નિર્દોષ ગમ્મત કરી હીરાબાતે કરે ખુશ પ્રશ્નકર્તા : સત્સંગમાં આપ જબરજસ્ત જ્ઞાનની વાત કરતા હોવ છો પણ હીરાબા સાથે જોઈએ તો એકદમ એમના લેવલે જઈને રહો છો. એમને જરાય બોજો ના લાગે એ રીતે.
દાદાશ્રી : અમે તો હીરાબાને ખુશ નથી કરી નાખતા ત્યાં ? પ્રશ્નકર્તાઃ કરી નાખો છો, દાદા.
દાદાશ્રી : હ. એવી બધી આવડત જોઈએ કે નહીં ? હસાવીએ કરીએ, આમતેમ કરીને, એમના મનને જરા બહેલાવીએ. જૂઠું ગતકડુંય બોલીએ, “આજ આવું થઈ ગયું.” કોઈની હિંસા ન થતી હોય અને નિર્દોષ ગમ્મત થતી હોય તો નિર્દોષ ગમ્મત કરી નાખીએ. હીરાબાને હસાવતા હસાવતા ગમ્મત કરાવીએ. તે એક દહાડો મેં કહ્યું, “આ પૈડપણ કોણે મોકલ્યું આ ?” તો કહે, “એ તો આવે, જવાની આવી હતી એટલે પછી પૈડપણ આવે.” મેં કહ્યું, ‘પણ કોણે મોકલ્યું આ તપાસ કરો.” હા, કોક મોકલી આપે એને ના ફાવતું હોય ત્યારે. ‘એ તો