________________
[૧૫] ‘પ્રૉમિસ ટૂ પે’
હજાર નહીં, લાખ આપો તોય નહીં.' પેલાએ મને લાલચ આપેલી, હીરાબા રહેશે, એમની ચાકરી કરશે અને પચ્ચીસ હજાર રૂપિયા આપું કહે છે. હવે મળે નહીં આવા પચ્ચીસ હજાર આપતા, ભલેને સેકન્ડ વખતેય ! મળે ખરા પણ રખડેલ માણસો, અને આ તો પૈણાવવાવાળા તૈયાર. અને પેલાની છોડી સહેજ મોટી થઈ ગયેલી. તે દહાડે તો વીસબાવીસ વર્ષની હોય ને, તો બહુ મોટી થઈ ગયેલી કહેવાય. સમજ્યા ? પ્રશ્નકર્તા : હા, દાદા.
૨૮૩
દાદાશ્રી : મેં કહ્યું, ‘ભઈ, કૂવામાં નાખવાની કેમ ઈચ્છા થઈ છે ?’ મેં એને પૂછયું, ‘શાથી છોડીને કૂવામાં નાખો છો, આટલા સાધનવાળા છો ને ?” તો કહે, ‘કૂવામાં ક્યાં નાખું છું ? તમારે ત્યાં પરણે એટલે મારે તો સોનું થઈ ગયું.’ ત્યારે મેં કહ્યું, ‘આ કૂવો છે. આ પૈડા માણસ થયા છે, પાંત્રીસ-છત્રીસ વર્ષના. હું તો પંદર વર્ષનો હતો ત્યારે મેં સંસાર માંડેલો છે અને આ પાંત્રીસ વર્ષે, વીસ વર્ષ સંસાર ચાલ્યો મારો. હવે કેમનું સંસારી મને બનાવો છો ? છોડીને કૂવામાં ના નાખશો. એવું ના કરાય.’ ત્યારે કહે, ના, આ તો ફરી આવું ઘર મળે નહીં ને !' ‘ફાયદો નથી’ કહ્યું. ‘હું તમને બીજું દેખાડીશ, પણ પ્રૉમિસ ના તોડાય મારાથી.’ એટલે એમ તેમ કરીને પાછા વાળ્યા.
પ્રજા તથી, પણ અમારે એતી જરૂર પણ શી ?
આ ભાઈનું પત્યું એટલે પેલા કાશીબા આવ્યા. તે મને કહે કે એકવાર યોગીબાપાના દર્શન કરવા ચાલો. તે હું સમજી ગયો કે એમના દર્શન કરાવડાવીને આશીર્વાદ અપાવે કે વંશનો વેલો સાચવવા બાબો આવે. અમારે એની શી જરૂર ? જેને શેર માટીની ખોટ હોય તેને અને બહુ જ ટળવળતો હોય તેને અપાવો, મારે શું કરવું છે ? અમારે તો બાબાભાઈ આવ્યા ત્યારે અને ગયા ત્યારેય પેંડા ખવડાવ્યા. બેબીબેન આવ્યા ને ગયા ત્યારેય અમારે તો એનું એ જ. અલ્યા, પોતે જ જવાનો છે, તો બાબા ને બેબીઓ શું બેસી રહેવાના છે ?
ઘણાય લોકો કહેતા હતા કે ‘પ્રજા નથી ને !' ત્યારે મેં કહ્યું, પ્રજા હતી તેય મેં પેંડા ખવડાવ્યા હતા.' મારે પ્રજા હતી ને મેં એમને