________________
૨૭
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : સતી થવું પડશે ?
દાદાશ્રી : હા, સતી થવું પડશે. જેટલી સતીઓ થઈ એ મોક્ષ ગઈ, નહીં તો પુરુષ થવું પડે. પુરુષ ભોળા હોય બિચારા, જેમ નચાવે એમ નાચે બિચારા. બધા પુરુષોને નચાવેલા સ્ત્રીઓએ. એક સતી એકલી ના નચાવે. સતી તો ધણીને પરમેશ્વર માને.
પ્રશ્નકર્તા : સ્ત્રીઓમાં આવું જીવન બહુ ઓછાનું જોવાનું મળે.
દાદાશ્રી: હોય ક્યાંથી? આ કાળમાં, આ કળિયુગમાં ! સત્યુગમાંયે કો’ક જ સતીઓ હોય, તો અત્યારે કળિયુગમાં હોય ક્યાંથી ? મારે તો હીરાબાએ બૂમ પડવા દીધી નથી કે આમણે (દિવાળીબાએ) કોઈ દહાડો બૂમ પડવા દીધી નથી ને અમારા ઘરનું જે છે, ચારિત્રની બૂમ પડી નથી. કોઈ એમ ના કહી શકે કે તમારા ચારિત્રમાં આવે છે. એ જ મારે મન તો બધું સોનું હતું.
દાદા-હીરાબા સાથે વાતો
ખરા પુણ્યશાળી પ્રશ્નકર્તા: બા, દાદાના પત્ની થયા એટલે કેટલું બધું તમારું પુણ્ય? હીરાબા ઃ હો, પુણ્ય અધી વળ્યું બધેય. પુષ્ય ફેલાઈ ગયું બધેય.
દાદાશ્રી : ઓહો ! પુણ્ય તમે કર્યું છે ? છાનામાના પીપળા પૂજ્યા હોય કે ગમે તે કંઈ કર્યું છે ખરું !
પ્રશ્નકર્તા : શું કર્યું છે, બા ? દાદાશ્રી : “ના કહેવાય’ કહે છે, નહીં ? પ્રશ્નકર્તા : બા, શું કરેલું કહો ને, કોઈક તો કરે એમાંથી. હીરાબા હોવે ! કોઈક કરે ને દહાડો વળે ? દાદાશ્રી : લોક તો મને કહે છે, “હીરાબા તો બહુ પુણ્યશાળી, બહુ