________________
[૧૪] દાદાની દષ્ટિએ હીરાબાના ગુણ
૨૬૯
વિકારી દોષ નહીં વિકારી દોષ બાને (ઝવેરબાને) નહીં, એમને (દિવાળીબાને) નહીં અને આ હીરાબાનેય વિકારી દોષ નહીં, આ આવા ભયંકર કળિયુગમાં. તેનું મને મારા મનમાં બહુ એ, કે ભલેને ગાળો ભાંડે, પણ નિર્વિકારી હોવું જોઈએ. ડાઘ ન પડવો જોઈએ, ડાઘ. ભયંકર કળિયુગમાં ડાઘ જ પડી જાય ને !
મોક્ષે જવા સતી થવું પડશે.