________________
૨૬૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
તો ચાલે. એ વખાણવા જેવા છે. ઝવેરબા હતા પછી એ હતા, તો ઘરમાં સાચવ્યું એમણે. ઝવેરબાના જેવી ખુરશી એમણે સાચવી. પછી હવે આપણે બીજું શું સાચવીએ ? કોઈને વસ્યા નથી, કોઈને દુઃખ દીધું નથી. કોઈનું આઘુંપાછું નથી કર્યું. જ્યાં સુધી ખાવાનું કરતા હતા, બધાને સારી રીતે ખવડાવ્યું. પછી ના થયું ત્યારે છોડી દીધું. કોઈ મહેમાનને તરછોડે નહીં. થતું હતું ત્યાં સુધી કર્યું છે બધું. પછી હવે થાય નહીં. ત્યારે હવે શી રીતે ચા-પાણી થાય છે ?
હીરાબા ઃ તોય હજુ પાઉ.
પ્રશ્નકર્તા : તોય હજુ પીવડાવે. કોઈક હોય ઘરમાં તો કહે કે બનાવી આપો.
હિરાબા : એની મેળે મેલીનેય પીવે.
પ્રશ્નકર્તા: ‘એની મેળે મેલીને પીવે કહે છે. દાદા, એ પૈડા આપવા જતા જ પડી ગયા ને ! એમને તો કંઈ હોય ઘરમાં તો આપવાનું પહેલું.
અન્નપૂર્ણાનું સ્વરૂપ ને સીધા-સરળ દાદાશ્રી : હીરાબા ચા-પાણી કરે ખરા, તોયે શરત કરેલી કે કોઈપણ આવે ને, વેઢમી હોય તો વેઢમી મૂકજો. વખતે ના હોય તો રોટલી મૂકજો પણ મૂકજો. ભાવથી જમાડો એટલું જ. એટલે બધા આવી ગયેલા જે જે કરે. એ બધા સમજે, માની જેમ જમાડે છે. એટલે ગામના લોકોએ નામ આપ્યું અન્નપૂર્ણા !
અને ભાદરણ જઈને કહે પણ ખરા કે હીરાબા તો અન્નપૂર્ણા છે ! હીરાબા જમાડે પણ પ્રેમથી, સહેજેય મોટું ના બગાડે. આ તો શોભાસ્પદ કહેવાય ને !
એ મને કહેય ખરા કે તમારા કરતા લોકોનો મારા પર વધારે ભાવ છે.” મેં કહ્યું, “હા, તેથી તો તમારા લીધે મારો ભાવ છે ને !! કારણ કે આપણા લોકો કહે ને, “બા, તમારી તો વાત જુદી.” એટલે બા માની લે બિચારા, સીધા-સરળ ને !