________________
[૧૪] દાદાની દૃષ્ટિએ હીરાબાના ગુણ
૨૭૩
પ્રશ્નકર્તા : ના રાખે, બા તો હજુય...
દાદાશ્રી : દિવાળીબા એમ સમજે કે મેં બધું ઊંધું કર્યું છે તે હેરાન કરશે, રીસ રાખશે. ત્યારે કહે, ‘ના, મારે રીસ રાખવાની નથી.' એટલે મને બહુ સારું લાગ્યું, રીસ ના રાખે તો. જરાય રીસ રાખેલી નહીં. પ્રશ્નકર્તા : પણ દાદા, દિવાળીબાએ શું દુઃખ આપેલા ?
દાદાશ્રી : બહારથી પડીકા લાવીને હીરાબાને ખવડાવવું પડતું'તું. એ અમે બે ભાઈઓ જ જાણીએ. બહારના લોક જમે અને ઘરમાં હીરાબાને પડીકા ખવડાવે.
પ્રશ્નકર્તા : ઓહોહો !
દાદાશ્રી આ બિચારાએ ઠેઠ સુધી પણ સંયમ રાખેલો, કોઈને કહેલુંય નહીં કોઈ દિવસ. ઝવેરબા જાણે એકલા બિચારા. તે બા પછી જાણે કે હીરાબાને શરીર જાડું છે તે ખાવા જોઈએ. તે પછી ઝવેરબા પડીકું લઈ આવીને છે તે ખવડાવે.
હીરાબાનું મોટું મત
બટાકા તે દહાડે તો, ૧૯૪૦માં એક આને રતલ હતા. પછી ૧૯૪૨માં લગભગ બાર આના થઈ ગયા હતા.
પ્રશ્નકર્તા : હા, થઈ ગયા હતા, ભાવ વધી ગયા હતા.
દાદાશ્રી : પેલા લશ્કરને લીધે.
પ્રશ્નકર્તા : હા, હા.
દાદાશ્રી : પણ અમારા ભાભીને બટાકા વગર તો ચાલે નહીં.
તે હીરાબા મને કહે છે, ‘આ બાર આના ભાવના બટાકા આવે છે. પેલા બીજા શાક એકેક આને, દોઢ-દોઢ આને, બે આને મળે છે. તે બાર આના ભાવના બટાકા એ કર્યા કરે છે.' ત્યારે મેં કહ્યું, ‘બંધ કરી દેવડાવો.' ત્યારે કહે, ‘ના, બંધ ના કરી દેશો.' લ્યો ! એક ફેરો