________________
૨૮૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
ભૂલ જે ભોગવે એની. પણ હીરાબાનું મન જાણવા ખાતર મેં પૂછયું, “આ લોકો દાવો માંડવાનું કહે છે. દાવો માંડીશું ?” ત્યારે કહે, “ના બા, મારે ભોગવવાનું હશે તે આવ્યું, એનો શો દોષ ?” મેં કહ્યું, “આ કરેક્ટ આપણે આવ્યું.”
ડૉક્ટર બહુ ખુશ થઈ ગયો'તો, નમસ્કાર કર કર કરતો'તો. સરકાર તો બહાર ચઢાવે ને ! સમજ્યા ? પ્રશ્નકર્તા : હા, દાદા.
લોક બીજી કન્યા પરણાવવા આવ્યા ત્યારે..
દાદાશ્રી : એટલે પછી એક તો છોકરા નહીં અને એક આમની આંખ ખલાસ થઈ. એટલે લોકોને માર્ગ જડ્યો. શું માર્ગ જડ્યો ? એમને પેલી છોડીઓ કૂવામાં નાખવાની હોય ને, તે લઈને મારે ત્યાં આવ્યા. છોડીઓ કૂવામાં નાખવાની હોય ને લોકોને ? ના હોય ?
પ્રશ્નકર્તા: હોય.
દાદાશ્રી : હીરાબાની આંખ ગઈ, એટલે લોકોના મનમાં એમ કે આ એક નવો વર ઊભો થયો. તે દહાડે આ છોડીઓની, કન્યાની છૂટ બહુ ને ! એટલે કન્યાના મા-બાપની ઈચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને પણ ઉકેલ લાવવો.
પ્રશ્નકર્તા : છૂટી જવું.
દાદાશ્રી : માથેથી દાન છોડી દેવું. અને ૧૯૪૩માં હું પાંત્રીસ વર્ષની ઉંમરનો તે દહાડે ઉંમર મારી નાની ને, બહુ મોટી નહીં, એટલે ફરી પૈણવા જેવી. તે લોકો આવે ને ઘેર બધું, લગ્ન કરાવવા.
તે પટેલ અમારા ભાદરણના હતા, ઈટોલા એમની સાસરી થાય. તે એમના સાળાની છોડી હશે, એટલે પછી ઘરે આવ્યા. મેં કહ્યું, “શું છે તમારે ?” ત્યારે કહે, “આવું તમારું થયું !” ત્યારે મેં કહ્યું, “કેમ તમે આમ પૂછવા આવ્યા છો ?” ત્યારે કહે છે, “એક તો હીરાબાની આંખ ગઈ છે, બીજું પ્રજા નથી. માટે તમે ફરી શાદી કરો.” મેં કહ્યું, “પ્રજા નથી,