________________
૨૭૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
હિરાબા : હં. નીરુમા : એ વઢે તમને, બા ? હીરાબા એ તો એવું મહીં અવળું ને અવળું કહે. દાદાશ્રી : હં ! પ્રશ્નકર્તા : દાદા, તો એ હીરાબાને ટૈડકાવે ? દાદાશ્રી : કૈડકાવે નહીં પણ વર્તન કંઈક જરા કાચું તો રાખે.
પ્રશ્નકર્તા : તે હીરાબા તમને કપ્લેન (ફરિયાદ) ના કરે ? એમના જેઠાણી એમના પર આમ એ કરવા જાય તો હીરાબા આપને કમ્પલેન ના કરે ?
દાદાશ્રી : ના. એમને હીરાબાને અડચણ પડેલી, બહુ દુઃખ વેઠેલ. પ્રશ્નકર્તા: તો તમે કશું બોલો નહીં ?
દાદાશ્રી : મને જાણવા દીધેલું નહીં ને બધાએ. ઝવેરબાએ નહીં જાણવા દીધેલું અને એમણેય નહીં જાણવા દીધેલું. સહન કરી કાઢે બધા.
હવે બીજું શું, ખાવામાં આઘુંપાછું કરે. પ્રશ્નકર્તા: જેઠાણીપણું કરે એ?
દાદાશ્રી : બધુંય. એ તો જ્યારે એ રાંડ્યા ને, ત્યારે અહીં વડોદરા આવવાનું થયું ત્યારે હીરાબાને કહેવા માંડ્યા, કે “હું અહીંયા આવું છું તો તમે પાછલું વેર તો નહીં વાળો ને !' ત્યારે હીરાબા કહે, “ના, તમારી મેતે નિરાંતે રહો, મારે વેર વાળવું નથી.”
ક્યારેય રસ નથી રાખી દિવાળીબાએ બહુ દુઃખ દીધેલું પણ તોય કોઈ દા'ડો રીસ નથી રાખી એમણે. દિવાળીબાએ પૂછેલું કે તમે મારી જોડે રીસ રાખશો ?” ત્યારે કહે, “ના બા, હું રીસ નહીં રાખું.”