________________
૨૭૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
હીરાબા : ભેગું તો, વાપરવા જેટલું આપણે લઈએ, પછી તો એને શું કરવાનું ?
દાદાશ્રી : હા, તે જ કહું છું ને ! આવું રહેવું જોઈએ. તે તમારે એમને કહેવું જોઈએ કે “તમે વાપરવું હોય એટલું વાપરજો.”
હીરાબા : ના રે, કહેવાય કે ? એ તો ઝાડ થઈ જાય (ભારે દુઃખ આવી પડે).
દાદાશ્રી : પણ તમે કહ્યું હોત તો પાંસરા રહ્યા હોત ને ! હું એકલો કહું એટલે હું એકલો ખોટો દેખાઉ છું આમાં વારેઘડીએ.
હીરાબા ઃ ખોટા દેખાવ તે. દાદાશ્રી : એ સારા દેખાય ને હું એકલો ખોટો દેખાઉં. હીરાબા ઃ હું શું કહું એમને ? દાદાશ્રી : બહુ પાકા તમે તો, મને ખોટો દેખાડ્યો, હોં. હીરાબા (શરમાઈ) : હું શું કરવા કહ્યું એવું ? જેઠાણી મેણા મારે તોય હીરાબા બતાવે લાગણી
દાદાશ્રી : આ દિવાળીબા આટલા બધા મેણા-ટોણા તમને મારી જતા હતા ને ?
હીરાબા : દિવાળીબા તો ઘરના. દાદાશ્રી : ઘરના કહેવાય, નહીં ? નિશ્ચયના ! હીરાબા ઃ હાસ્તો. દાદાશ્રી : વ્યવહારના જુદા.
હીરાબા તો પાછા મને કહેતા ગયા કે “દિવાળીબા સામું જોજો.” મેં કહ્યું, “એ તો જોઈએ છીએ ને !” ત્યારે કહે, “ના, એમને મહિને સો રૂપિયા વ્યાજ મળે એવું કરી આપજો.” મેં કહ્યું, “કરી આપીશું, મહિને સો રૂપિયા વ્યાજ મળે એવી કંઈ મૂડી મૂકી આપીશું પછી.”