________________
[૧૪] દાદાની દષ્ટિએ હીરાબાના ગુણ
(પૂજય નીરુમા સંપાદિત વાણીમાંથી....)
કળિયુગી રંગથી અસંગ
હીરાબાને જીવનમાં ક્યારેય ફરિયાદ કરતા કોઈએ જોયા નહીં હોય. ક્યારેય કશું તેમણે માગ્યું નથી. સંસારમાં હોવા છતાં, સ્ત્રી પ્રકૃતિની વિરુદ્ધ તેમનું જીવન હતું. ક્યાંય મોહ નહીં, કોઈ વસ્તુ વસાવવાની કે કોઈ દાગીના કે કપડાંનો ! પૂજ્ય બા તો હતા સાવ ભદ્રિક ને ભોળા, કળિયુગના રંગથી અસંગ !