________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
કહો છો કે બંધ કરો. ત્યારે મેં કહ્યું, “બંધ કરી દઈએ.’ ત્યારે કહે, ‘ના, બંધ નહીં કરી દેવાનું.' એ શા હારુ બોલતા હશે ?
નીરુમા : દાદા, મન મોટું ને, એટલે બંધ ના કરાય.
દાદાશ્રી : સહન ના થાય એટલે મને કહે ખરા, પણ પછી એમને દુઃખ ના થાય એટલું કરે.
તમને યાદ હતું ?
હીરાબા : હું ખવડાવું. એ વઢે પણ ખવડાવીને પછી મોકલું. નીરુમા : કોણ લઢે, બા ?
હીરાબા દાદા.
દાદાશ્રી : ઝવેરબા દિવાળીબાને વઢતા હતા ખરા ?
હીરાબા : અરે, શાના વઢાય ? વઢાય નહીં.
દાદાશ્રી : શું એ સામા બાઝે ?
હીરાબા : હા, સામે બાઝે.
દાદાશ્રી : તે તમે વઢેલા નહીં કોઈ દહાડો ?
હીરાબા : ના રે.
૨૭૪
ઘરતી આબરૂ તો રાખવી જ પડે તે
દાદાશ્રી : પાણીના માટલા જેવું ના બદલાય ?
હીરાબા ના.
દાદાશ્રી : માટલા તો બદલી નખાય.
હીરાબા : માટલા બદલાય, એ તો માણસ, બદલાતું હશે ?
દાદાશ્રી : ના બદલાય. તેથી એ કહે છે, ‘ના, કશું લેવાનું નહીં
આપણે. આમાં તો આપણી આબરૂ જાય.'