________________
૨૬૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨) પ્રશ્નકર્તા: હીરાબાને તો એમની પાસે હોય તોય બધાને આપી દે.
દાદાશ્રી : એમને ભાંજગડ જ નહીં ને કશી. કાલની ફિકર નહીં એમને.
પ્રશ્નકર્તા : દાદા, એમનો તો આપી દેવાનો જ સ્વભાવ છે. દાદાશ્રી : હા, સ્વભાવ ખરો. પ્રશ્નકર્તા: બેસતા વર્ષને દહાડે જે જાય એને પાછા પૈસા આપે.
દાદાશ્રી : એ તો રાગ-દ્વેષ જ નહીં. અને એમને કશું જરૂરિયાત નહીં, કોઈ ચીજની.
પ્રશ્નકર્તા: દાદા, એમનામાં બહુ જ ભદ્રિકતા. ભદ્રિકતાનો ભંડાર ! દાદાશ્રી : તેથી જ મને કશું અડચણ નહીં પડેલી ને, બળી !
હીરાબા ડાહ્યા, અમારામાં થોડો ગાંડો અહંકાર
પ્રશ્નકર્તા : દાદા, હીરાબા જે રીતે રહેતા ને, આ જમાનાની કોઈ સ્ત્રી ના રહે. બા જે રીતે રહેતા ને, જે લિમિટેશનમાં, કેટલી બધી અગવડ-સગવડમાં ગમે તેમ, એ રીતે કોઈ બીજું ના રહે.
દાદાશ્રી : કેમ ના રહે ?
પ્રશ્નકર્તા : ના રહે. રોજ તમારી જોડે કકળાટ કરે કે મારે આ જોઈએ છે ને તે જોઈએ છે, આ નથી ને તે નથી. બાએ તો ક્યારેય કહ્યું નથી.
દાદાશ્રી : બરાબર છે, મારી જોડે હોય પણ ક્યાંથી એવું ? પ્રશ્નકર્તા : આ બધુંય છે તમારી પાસે, શું નથી? દાદાશ્રી : કેમ એ આશા રાખવા જેવી ? હોય જ ક્યાંથી તે ? પ્રશ્નકર્તા કેમ ના હોય ? દાદાશ્રી : એડજસ્ટમેન્ટ છે. જેવી સ્ત્રી એવો પુરુષ હોતો નથી.