________________
[૧૪]
દાદાની દૃષ્ટિએ હીરાબાતા ગુણ
હીરાબાનું કેવું જબરજસ્ત પુણ્ય !
પ્રશ્નકર્તા : આ એક મોટી અજાયબી કહેવાય કે આવા મોટા જ્ઞાની પુરુષ પ્રગટ થયા છે અને એમને આવું હીરાબા જોડેનું પૂર્વ ભવનું એટેચમેન્ટ (અનુરાગ) કે જેમની પાસે એ વાઈફ થઈને આવ્યા. એટલે એમનું કેટલું બધું પુણ્ય હશે ?
દાદાશ્રી : હા, હા, જબરજસ્ત પુણ્ય ! હીરાબાની લોકો પૂજા કર કર કરે છે. લોકો આવીને દર્શન કર કર કરે છે. અમારો હાથ ઝાલ્યો, તે પુણ્ય નહીં ?