________________
[૧૩] દાદા-હીરાબા, કબીર સાહેબ ને એમના પત્ની જેવા
પ્રશ્નકર્તા : બહુ કડક.
દાદાશ્રી : પછી છૂટ આપી, મેં કહ્યું, “મારો જ દોષ છે આમાં.” પોતાના દોષ સમજાય ને ! આ બેનને એના દોષ સમજાવા માંડ્યા, ત્યારથી પાંસરું થતું જાય ને ! તે હુંય પાસરો થતો ગયેલો. મારા દોષ સમજાયા તેમ પાંસરો થતો ગયો. હું પાંસરો થયો હોઈશ કે નહીં થયો હોઈશ ? લોકોએ મારી-ઠોકીને પાંસરો કર્યો છે. અને એમાં જ
વ્યવસ્થિત” શિખવાડ્યું. તે હવે ના ગમતું શું કરવા આવે છે અહીં આગળ ? ત્યારે કહે, “વ્યવસ્થિત.” હે. આય પાછું મહીં હતું ? તો એ “વ્યવસ્થિત’ હતું, નહીં તો આવ્યા શી રીતે ? આટલો ટાઈમ ક્યાંથી આવ્યો ? આજ બેઠા શી રીતે ? ત્યારે આવ્યા તો જાય છે કેમ ? એ કોણ તેડી જાય છે ? એ વ્યવસ્થિત.” તો શેના આધારે આવે છે ને જાય છે ? ત્યારે કહે, “વ્યવસ્થિત.” જો “વ્યવસ્થિત' ! ના ગમતું આવે, પછી તે જતું રહે પાછું. પાછું ગમતું આવે, તેય જતું રહે. આ બધું “વ્યવસ્થિત' શિખવાડે છે.