________________
[૧૩] દાદા-હીરાબા, કબીર સાહેબ ને એમના પત્ની જેવા
૨૬૧
પ્રશ્નકર્તા: પણ દાદાની પાસે પ્રોબ્લેમ તો ઊભા થયા હશે ને એવા?
દાદાશ્રી : થયેલા પણ બોધકળાય બહુ સુંદર ! નહીં ? આ પચાસ હજારમાં મતભેદ નથી પડવા દેતો ને, તું જોઉં છું ને એવું ? તો ત્યાં એક માણસ ના સાચવતા આવડે ?
લગ્ન એટલે ઈન્વાઈટેડ દુઃખો જેને બીજા નંબરની ફાઈલને જ્ઞાન મળ્યું તેનું તો કલ્યાણ જ થઈ ગયું ! છતાં તમે ચેતીને ચાલજો, બિવેર ફ..
પ્રશ્નકર્તા : લગ્ન કર્યું એ જ મોટો પ્રોબ્લેમ ઈન્વાઈટ કર્યો, એ જ મોટું દુઃખ ઈન્વાઈટ કર્યું.
દાદાશ્રી : હા, એ જ ઈન્વાઈટ. જો સમજણ પડી એને, કે પૈણી તો ઈન્વાઈટ થયા.
પ્રશ્નકર્તા : તમે કહ્યું એટલે પહેલી કંકોત્રી એ લખાયેલી.
દાદાશ્રી : હા, એ જ, એ જ. તમે શું ભૂલ્યા ? આ હું અનંત અવતારથી સાધના કરતો કરતો આવ્યો છું તોય હુંયે ભૂલ્યો'તો ને આ ઘેર બોલાવ્યા'તા. તે હજુય હીરાબા છે મારી જોડે. મને ઈઠ્યોતેર થયા ને એમને પંચોતેર થયા. હજુ જોડે ને જોડે બેસી રહેવું પડે છે. ઈન્વાઈટેડ છે ને ! આ હવે તો સમજ પડીને ? એટલે આ બધા ઈન્વાઈટ કરેલા છે. તમે તો ઓછા કર્યા છે, મેં તો બહુ કર્યા'તા. મને ભણતા નહોતું. આવડતું ને, એટલે તોફાન આવડતું'તું. તમે તો ભણીને એન્જિનિઅર થયા, બી.ઈ. સિવિલ થયેલા છો અને હું તો મેટ્રિકમાં જ ફેલ થયેલો. એટલે આ ઈન્વાઈટ કર્યા નર્યા દુઃખો.
વગર કામતા ભૂતા આ તો સાસુ, સસરા, વડસાસુ આવ્યા. મને તો કેટલીક કહે ને, “તમારી માસીસાસુ થઉં.” મને કંટાળો આવે કે બળ્યું આ ક્યાં ભાંજગડ, આ એક હીરાબાને લીધે ! હીરાબાએ મને એટલું બધું શું