________________
૨૬૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પહેલા પોતે “રામ” થવું પડે પતિય ઢીકો મારતો હોય, તો શી રીતે પરમેશ્વર માને ? પરમેશ્વર ઢીકો મારતા હશે ? કે કબીરો મારતો હશે બીબીને ? જો મારે તો આવી દશા હોય ? આ તો થપ્પડ મારી દે. પહેલું રામ થવું પડે, તો એ સીતા થાય. આપણા લોકો તો એમ ને એમ, ‘તું સીતા થઈ જા, સીતા થઈ જા” કહેશે. તમારેય જો મેળ પડે તો, “આના જેવી મળે તો પૈણી જવું, નહીં તો નહીં. બીજાની જોડે પૈણવું જ નહીં.” એવું નક્કી કરી નાખવાનું. આ તો રસ્તે ચઢેલા, એ રોડ ઉપર ચઢેલા, પછી પાછા આવવાનું તો બહુ થાક લાગે ને, બળ્યું ! અને પેલો તો રોડ ઉપર ચઢ્યો જ નથીને ત્યાં આગળ. આ તો એ રોડ ઉપર ચઢેલા અને એય આના જેવી મળે તો પૈણવું, નહીં તો પૈણવા જેવું નથી.
તે મનેય હીરાબા એવા મળ્યા છે, છોત્તેર વર્ષના છે. મને કોઈ દહાડો હેરાન નથી કર્યો. અમારે હીરાબા સાથે ક્યારેય મતભેદ પડ્યો જ નથી. એ તો અમારી પુણ્ય અને એમની પુણ્ય. તેથી જ કબીર સાહેબ કહેતા હતા કે “આવી મને જેવી મળી હતી તેવી મળે તો લાવજે.”
જ્ઞાનકળા-બોધકળાથી લાવ્યા નિવેડો. પ્રશ્નકર્તા : દાદા, આ સ્ત્રી ધારો કે બહુ સારામાં સારી હોય, પણ એની પાછળ બીજી કેટલી બધી ફસામણો ઊભી થાય છે ! બહુ સારી મળી, બે દીવા ધરે એવી મળી, તો પણ લફરા કેટલા વળગી જાય બીજા !
દાદાશ્રી : એ લફરા બહુ વળગે નર્યા. આ તો કાકીસાસુ, માસીસાસુ, ફોઈસાસ, બધા કેટલા લફરા ! આ અમે નિવેડો શી રીતે કરીને બેઠા છીએ તે અમે જ જાણીએ છીએ. હીરાબા દરેક બાબતમાં લીલો વાવટો ધરે છે એ અમે જ જાણીએ છીએ.
પ્રશ્નકર્તા : તે કેવી રીતે નિવેડો લાવ્યા, દાદા ?
દાદાશ્રી : અમારું એવું બોધકળાવાળું જીવનને એટલે. જ્ઞાનકળા અહીં આગળ સત્સંગમાં હોય અને ત્યાં બોધકળા હોય અમારે.