________________
[૧૨] દાદાએ કર્યું ત્રાગું પણ નાટકીય
૨૫૧
લોકો નાખી જાય, પણ દાદા કાઢી નાખે એ રાવજીભાઈ શેઠ, મિલમાલિક, દિવાળીના દા'ડે, બેસતા વરસે હીરાબાને મોઢે કહેતા'તા, કાકી, તમે મોક્ષે જાવ એવો તમારો સ્વભાવ છે ને તમે મોક્ષમાં જશો, અને આ કાકા તમારો પગ ઝાલશે ત્યારે ત્યાં આવશે.” એટલે એમના મનમાં એમ થાય કે “ઓહોહો, આ બધા આવું કહે છે, માટે એ વાત ખરી હશે. કારણ કે ભત્રીજા એમને કહેય ખરા, “મારા કાકા ખટપટિયા છે અને તમે ચોખ્ખા છો.” એટલે કાકીના મનમાં પાછું ચગે.
તે દા'ડે તે કાઢતા કાઢતા મારે બહુ વાર લાગેલી. આવો માલ નાખી જાય તેને ના કહેવાય આપણાથી ? આપણો ઘાણ બગાડે બધાય. એ તો પછી કાઢી નાખીએ. એ તો એક ફેરો નહીં, ઘણી બધી વખત નાખી જાય લોકો. લોકો બહુ જાતના નાખે. શું ?
પ્રશ્નકર્તા : હા, ધંધો જ એ. નાખવાનો જ ધંધો લોકોનો, લોકો નાખી જ જાય.
દાદાશ્રી: લોકો નાખી જાય. પછી હું કાઢી નાખું એ ગમે તે રીતે.
હું તો મહિનો-બે મહિના ચલણ ચાલવા દઉ હીરાબાનું. એ પછી એક દહાડો ધૂળ કાઢી નાખું. એય ધૂળધાણી કરી નાખું.
પ્રશ્નકર્તા : પણ હીરાબામાં કપટ નહીં.
દાદાશ્રી : ના, ના, કપટ-બપટ નહીં. આ પેલાએ નાખેલું ને, બહુ નાખેલું. આમને, સારા માણસને દુ:ખ દીધું આ લોકોએ. એવા સારામાં સારા બઈ, પણ લોકો નાખી જાય નહીં. લોકો હજુ જંપે નહીં ને !
એક દા'ડો મને કહેતા'તા, “આપણે ઘેર હતા એ શું ખોટું હતું ? ત્યારે મેં કહ્યું, “શું થયું ?” ત્યારે કહે, “લોક કહે છે, એ તો બાવા થઈ ગયા.” મેં કહ્યું, ‘તમને લાગે છે ?” ત્યારે કહે, “મને નથી લાગતું, પણ લોક કહે તેમાં આપણી આબરૂ જાય ને !” ત્યારે મેં કહ્યું, “ઘેર રહીશું