________________
[૧૨] દાદાએ કર્યું ત્રાગું પણ નાટકીય
૨૪૯
ફોટા ચડાવડાવે. એટલે હું સમજી જઉં, કે આ દવા કંઈની છે ? આ સળી કોની છે ? કરે છે કોણ ? એ બધું સમજી જઉં, છતાં કરવા દઉં. હું જાણું કે આવું જ કરે છે. એક દહાડો કાપી નાખશે હડહડાટ. અને આ હીરાબા બહુ સારા માણસ, પૂજ્ય માણસ, કોઈ દહાડોય આવું કર્યું નથી એવા સારા માણસ પણ આ ધર્મને લીધે. પેલાને આ ધર્મ ગમતો નહોતો, પણ બસ બે કલાક રિપેર કરતા થયા હશે !
અવળું લાખ લાખ કરે તો એ પેસી જાય પ્રશ્નકર્તા : બા તો બહુ ભોળા છે, ભદ્રિક છે બહુ.
દાદાશ્રી : આમ ભદ્રિક, પણ લોકો શિખવાડે એ પાછા શીખી જાય ને !
પ્રશ્નકર્તા : એ કહે છે, “હું તો કોઈનું શીખું એવી નથી.'
દાદાશ્રી : એ કહે છે એવું. એ મનમાં એમ પાવર રાખે છે કે હું કોઈનું શીખતી નથી પણ લોક નાખી જાય ને ! તે શીખે એવા નથી પોતે, પણ બહુ દહાડા કો'ક નાખ નાખ કરે ને, તે પેસી જાય પછી. આમ શીખે એવા નથી એ, સારા માણસ !
કોના આધારે કોતો મોક્ષ ? પ્રશ્નકર્તા : હીરાબા સારા-સરળ, તે લોકો નાખી જાય તો પાછા માની લે પોતે.
દાદાશ્રી : અમારા ભત્રીજા ભરૂચ ટેક્ષટાઈલ મિલના માલિક હતા. તે અમારે ત્યાં આવે દિવાળીને દા'ડે દર્શન કરવા માટે, ભત્રીજા થાય એટલે. તે પછી મને કહે એ લોકો, ટકોર મારે, અને એમના કાકીને કહે, “કાકી, તમે મોક્ષે જાવ એવા છો ને તમે આ કાકાને લઈ જજો.” એટલે એ કેવા લાયક, તે એમની લાયકાત અમારા ભત્રીજાઓ કહે છે કે “કાકી તમે મોક્ષે જાવ એવા છો અને આ કાકાને લઈ જજો.” મેં કહ્યું, “બહુ સારું. આ કાકી મળ્યા છે તે મારું કંઈ ધનભાગ હશે ને,