________________
[૧૨] દાદાએ કર્યું ત્રાગું પણ નાટકીય
૨૪૭
બધું આપણી જ જોખમદારી.” મેં તો એમને માથે જ ઠાલવ્યું, મેં કહ્યું, ‘તમે જ, તમે બધાએ જ બગાડ્યું.” અને મેં કહ્યું, “માટલું તિરાડ પડી હવે શું કરવાનું ? પાણી રેડીએ તો નીકળી જાય બપોર સુધીમાં. બપોરે પીવાનુંય ના રહે.”
મેં કહ્યું, “ક્રેકડાઉન થયેલું માટલું છે. હવે નહીં ચાલે.” ત્યારે કહે, ભઈ, તમે તો ભગવાનના માણસ, હવે સાંધી લો.” મેં કહ્યું, ‘તમે બધા કહેતા હોય તો આ એક વખત વેલ્ડિંગ કરું, નહીં તો નહીં કરું ફરી આગળ. અમારી પાસે થોડી આ લાખ છે તે ચોપડી દઈએ. આટલો વખત અમે આ લાખ કરીશું, બાકી ફરીવાર લાખેય કરવાના નથી. પછી એમને મૂકી આવીશું.” તિરાડને લાખ કરી દીધી એક ફેરો. એટલે પછી લાખ કરી પછી નથી થયું આવું. અને પાછું ચંદ્રકાંત ને એમને શિખવાડ્યું. બે-ત્રણ જણ હતા, ત્રણ શિષ્યો શીખી ગયા ને ! આ તો પ્રત્યક્ષ દાખલો સાંભળ્યો ને, તમે જોયું ને ! પેલો સિનેમા જોયેલો અને આ સિનેમાની વાત કરેલી. જો બધી જાતનો રોગ ચોગરદમથી બંધ. હીરાબા જ્યારે પાછા કંઈક પાછલું સંભારીને કહે સામે ઘેર જઈને, “જો પાછી છોડીઓ આવી બધી.” ત્યારે પેલા કહે, “ના, એ તો ભઈ એવા નથી, તમે આવું નહીં કરો.” એ જાણે કે આ પાછું મારે માથે આવશે. એટલે કાયમ ગભરામણ, રાત-દહાડો ગભરામણ. “હીરાબા આવે ને જો હું કંઈક બોલી જઈશ ને, તો મારે માથે પડશે.” જો આમ આવું વાળવા જઈએ કે ‘બેન, હીરાબાને આવું ના કરશો.” ત્યારે શું કહે ? “અમે શું કરીએ, તમારી વહુ છે એવું કહે.
એટલે સામેવાળી બઈએ નક્કી કર્યું કે કોઈ દહાડો હીરાબાને આપણે કશું કહેવું નહીં, નહીં તો આપણે માથે આવશે આ બધું. અરે ! હીરાબા એમ ને એમેય બોલશે તોય આપણે માથે આવશે. એટલે આપણે હીરાબાને વાળ વાળ કરવા. અમે જે દવા કરી !
પ્રશ્નકર્તા : હીરાબાને ચડાવનારા જ વાળે હવે. દાદાશ્રી : હા, હીરાબા ત્યાં બેસવા જાય ને, તે હીરાબા કાંઈક