________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
એટલું તો સ્વીકાર કરો.' ત્યારે કહે, ‘એટલું તો અમે સ્વીકાર કરીએ. આવા કાકી મળે નહીં', કહે છે.
૨૫૦
‘કાકી, મારા કાકાને તમે મોક્ષે લઈ જશો એવા કાકી છો !' એવું કહે એટલે હીરાબા મને કહે, ‘જુઓ, લોકો તો મને એવું કહે છે.’ મેં કહ્યું, ‘હા, તમારા લીધે તો મારો મોક્ષ થવાનો છે. એમાં મારે શું વાંધો છે ?’
:
પ્રશ્નકર્તા ઃ તમારે લીધે મારે મોક્ષે જવાનું છે એવું આપ બોલી શકો, મારાથી એવું ના બોલી શકાય.
દાદાશ્રી : એ તો એવું છે ને, આવું ના બોલીએ ત્યાં સુધી શક્તિ આપણામાં આવે નહીં ને !
એ તો અમારા ભત્રીજા આવીને કહે ને ! શું કહે તમને ? હીરાબા : એ કહે છે કે ‘એ સ્વર્ગે નહીં ચડે અને તમે ચડશો.’
દાદાશ્રી : ના, સ્વર્ગે નહીં, અમારા કાકી મોક્ષે જવાના છે ને તે તમને લઈ જશે, એવું કહે. ત્યારે મેં કહ્યું, ‘બહાર દુનિયામાં કોઈકને પૂછી આવો, આવા પત્ની મળ્યા છે ? બીજે પૂછી આવો ને !' ત્યારે કહે, ‘ના.’ મેં કહ્યું, ‘મને મળ્યા છે ને પણ ?” ત્યારે કહે, ‘આ તમને મળ્યા છે એટલા તમે પુણ્યશાળી ખરા !' ત્યારે મેં કહ્યું, ‘ઓછું પુણ્ય ના કહેવાય !' અમારા ભત્રીજાને પેલું સહન ના થાય ને ! હું કાકો એટલે, કાકાનું શી રીતે સહન થાય ? એક બ્લડના લોક. એટલે એમને આવું જોઈએ ને કશું કે ના જોઈએ ?
પ્રશ્નકર્તા : જોઈએ.
દાદાશ્રી : પાંસરું બોલે કે અમારા લોકો ?
પ્રશ્નકર્તા : ના બોલે.
દાદાશ્રી : કોઈનાય લોકો ના બોલે, તમારામાંયે ના બોલે. સ્પર્ધા તો ખરી ને !