________________
[૧૨] દાદાએ કર્યું ત્રાગું પણ નાટકીય
૨૫૩
દાદાશ્રી : એ જાણે ને બધુંય કે સિન્સિયર ને મોરલ છે જ એમને ! હીરાબાને અનુભવ ને ! એ તો પેલા એકલા કેસમાં જ છે તે એમના મનમાં જરા એ પેસી ગયું, પેલું કાઢવું મુશ્કેલ પડ્યું અને સ્યાદ્વાદ રીતે ન નીકળ્યું. એટલે આ બીજી રીત અજમાવવી પડી.
પ્રશ્નકર્તા: તો પેલું જે નાટક કર્યું બધું, એ કપટ નહીં ? આ ઢોળ્યું, તે ઢોળ્યું, તમે ઢોળ્યું
દાદાશ્રી : ના, એમાં કપટ નહીં. એ તો જેટલા પ્રમાણથી આ દૂધ ઊભરાતું હોય તે આપણે લાકડા કાઢી લઈએ, એ કંઈ છે તે કપટ ના કહેવાય. દૂધપાક ઊભરાતો હોય તો લાકડા કાઢી લઈએ એ કપટ કહેવાય ?
પ્રશ્નકર્તા : પણ આશય તો કંઈ સારું કરવાનો ખરો ને ?
દાદાશ્રી : સારું કરવાનો, એમને ચોખ્ખા કરવાનો. સિન્સિયારિટી, તે ઘડીએ સિન્સિયારિટી ! તે ચંદ્રકાંતભાઈએ દેખ્યું ને પણ ! બધા સજ્જડ થઈ ગયેલા. ભાણાભાઈ-બાણાભાઈ બધાય બેઠા'તા. અને બધા હોય ત્યારે જ આબરૂ લઉં. એમ ને એમ લઉંયે નહીં, નહીં તો ગળી જાય. કહેશે, “ઓહોહો, કોઈ હતું જ નહીં ને !” ગળી જાય. શું ? આપણી મહેનત નકામી જાય.
આ તો કંઈ છોડ્યું છૂટે ? પ્રશ્નકર્તા : દાદા, એટલે આમાં આપે કહ્યું કે હીરાબા સમજી જાય કે આ સિન્સિયર છે, મોરલ છે. એટલે એ શું સમજી જાય ? એટલે એ શું વસ્તુ, એ કયા ભાવો સમજી શકતા હશે ?
દાદાશ્રી : એમને એમ સમજાય કે આ મારી ભૂલ થાય છે, નહીં તો એ તો મોરલ ને સિન્સિયર છે. એમને પોતાને એ છોકરીઓ આવતી'તી ને, તે સો ટકા ખાતરી હતી કે એમનામાં કશું દોષ નથી. પણ આ તો લોકોમાં ખોટું દેખાય એટલા માટે “તમે છોડી દો આ કહે છે. ત્યારે કંઈ છોડ્યું છૂટે એવું છે ? આ તો વ્યવસ્થિત બધું. એ