________________
[૧૨] દાદાએ કર્યું ત્રાગું પણ નાટકીય
૨૫૫
પ્રશ્નકર્તા : અચ્છા ?
દાદાશ્રી : હં... “હજુ બેંકમાં કશું છે નહીં.” શું કરવા કચકચ કરો છો ? આ તો ના આપે. આ બાઈને છેતરે છે, પણ જાતને હઉ છતરે છે. એવું શાના માટે ? એક પર વિશ્વાસ ના રાખવો જોઈએ, મૂઆ ? પણ એક ઘરેય વિશ્વાસ ના કરવા દે, ત્યાંય ઊંડું, નીચું જુએ ને !
ટાણું કર્યું તેય ધર્મને માટે પ્રશ્નકર્તા : એમણે પેલું બારણું પછાડ્યું, સ્ટવ પછાડ્યો. એટલે એ પણ આડાઈ કહેવાય ને ?
દાદાશ્રી : ત્યારે આડાઈ નહીં તો બીજું શું ? એ ત્રાગું કહેવાય. એ નાના પ્રકારનું ત્રાગું, મેં મોટા પ્રકારનું કર્યું.
પ્રશ્નકર્તા : ના, એટલે એ નાના પ્રકારના ત્રાગાને કાઢી નાખવા માટે સામે એવો ફોર્સ મૂકવો પડે ?
દાદાશ્રી : હા, આખી જિંદગીમાં એટલું ત્રાગું કરેલું. એને ત્રાગું કહેવાય, દબાવી મારવા. તેય પારકા હારુ, ધર્મને માટે કરવું પડેલું. મારા પોતાને માટે કશું કરેલું નહીં, મારા માટે વાંધો નહીં.
તે બધાને જ્ઞાન મળી ગયેલું. એ સમજી ગયેલા કે ધર્મ ઉપર આફત ના આવવી જોઈએ. બીજા આડે દહાડે તમે વઢો અમને.
પ્રશ્નકર્તા : ધર્મ ઉપર આફત આવે તો કડક થવું ખરું.
દાદાશ્રી : અને પેલા સામાવાળા શું સમજી ગયા કે હવે ફરી જો હીરાબા આવું કરશે તો આપણે માથે આવશે. એટલે ફરી એ વાત જ કરવાની બંધ થઈ ગઈ.
એટલે જાણી-જોઈને ત્રાગું કરેલું ને એમણે તો એમના કર્મના નિયમથી ત્રાગું કરેલું. આ તો જાણી-બૂઝીને કરે ને, હું મારા જ્ઞાનમાં રહીને બધું કરું ને ! પાંચ-દસ મહાત્માઓ બેઠેલા ને આવું કરાતું હશે ? મહાત્માઓ, ચંદ્રકાંતભાઈએ સમજી ગયા કે “દાદા આટલું બધું ?” ત્યારે