________________
૨૪૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
આવું જુએ, “જો પાછી આ છોકરીઓ આવી !” “ભઈનામાં પડવું નહીં હોં, એ છે તે સારા માણસ છે.” એ જો વાળવા માંડ્યું. જો મારા પક્ષમાં બેસાડ્યા, વિરોધપક્ષને મારા પક્ષમાં બેસાડ્યા. એક જ ઑપરેશન એવું કર્યું તે !
બધી જ જાતની કળાઓ જીતીને બેઠા છીએ જુઓ ને ! “હું ચોવીસ તીર્થંકરોનું બીજ છું કહ્યું. બધી જ જાતની જેનામાં બોધકળાઓ છે, જ્ઞાનકળાઓ છે. બધી જ કળાઓને જીતીને બેઠો છું. નહીં તો આ લોકોનું શી રીતે કલ્યાણ થાય ? આ બિચારા કંટ્રોલનું અનાજ ખાઈને બેઠેલા, આમનું શી રીતે કલ્યાણ થાય ? તે સડેલું પાછું, કેવું ? તે ગમે છે તને આ વાત બધી ? પ્રશ્નકર્તા: હા, હા.
સહી કરાવી લીધી, ફરી નહીં કરું ચડામણી દાદાશ્રી : તમને સમજાયું ?
પ્રશ્નકર્તા : ઘણું સમજાયું, દાદા. આ બધાને સમજાઈ ગયું કે દુનિયામાં બહુ મોટામાં ખપીએ છીએ પણ અહીંયા તો બાળક જેવા છીએ. અહીંયા ઘણું બધું શીખવાનું મળે છે.
દાદાશ્રી : હા. એટલે પેલી બઈઓને શિક્ષણ મળી ગયું. એટલે હું સમજી ગયો કે હવે એને શિક્ષણ મળી ગયું. પછી એ બેનને મેં કહ્યું, “બેન, તમે મને ભઈ જેવો ગણો છો, તો તમારે આ ભાભીની જોડે આવી દશા થાય ? એવું ફરી ન કરશો. ત્યારે કહે, “નહીં કરું ભઈ હવે.” એટલે આ સહી કરાવી લીધી. સમજ પડીને ? “આ તમારા ભાભી થાય અને કેવા સારા માણસ છે !” કહ્યું. હવે એમને શો દ્વેષ હતો આ ધર્મ ઉપર ? એ વેદાંતી હતા. એટલે જૈન ધર્મ ઉપર બહુ ચીડ ! દાદા જૈન કેમ થઈ ગયા છે ? એટલે આ હીરાબાને શિખવાડે, તે આપણે ત્યાં જૈનનો ફોટો હોય ને, તેની સામે આ પેલા લોકો છે તે હીરાબા પાસે એ ફોટો કઢાવડાવીને પેલા કૃષ્ણ ભગવાનના, એવા તેવા