________________
[૧૨] દાદાએ કર્યું ત્રાગું પણ નાટકીય
૨૪૫
એટલે સુધી શિખવાડેલું, કે “દાદા ફરી પૈણશે આ છોડીઓ જોડે.” એવુંય શિખવાડ્યું'તું કે “આ છોડીઓ દાદાને લઈ જશે.” “અરે મૂઆ, એવું હોતું હશે ? કેટલા વર્ષનો, હું ડોસો થયેલો માણસ, ને કઈ જાતના માણસ !” આવુંય શિખવાડેલું. પણ એ આપણા કર્મ વાંકા ત્યારે જ શિખવાડે ને, આ કર્મ વાંકા ખરા ને ? એમનો શો દોષ બિચારાનો ? એમનો દોષ નથી, મારા જ કર્મનો દોષ. એ બાઈ તો મારા હિતમાં જ હતા. પણ હીરાબાને શું કહે ? “આ બધા સત્સંગીઓ પેસે છે ને. કોઈ આપણું થાય નહીં. અને આ નાની નાની છોકરીઓ પેસે છે ને, એ શોભાસ્પદ નથી. એટલે હીરાબાના મનમાં એમ થયું કે આ તો મારી આબરૂ જશે ! એટલે ભય ઘાલી દીધા'તા બધા. હવે મારે તો આ હકીકત છે એને ન કહેવાય નહીં. એટલે બફર તરીકે મારી સ્થિતિ થઈ, એટલે મેં જાણ્યું કે હવે આનો હિસાબ તો ચોક્કસ કરી નાખવો પડશે, હિસાબ લાવવો જ પડશે.
એટલે પછી દવા એવી કરી કે ફરી હીરાબા કશું આવું કરવા જાય ત્યારે પેલા કહે, “એ ના કરશો, આપણે એમનામાં-ભાઈનામાં પડવું જ નથી, ભાઈનો સ્વભાવ બહુ કડક છે. આવો કડક સ્વભાવ ! આ તો મહાદેવજી જ જોઈ લો ને !' કહે છે. એટલી બધી છાપ પાડી દીધી. તે હીરાબાયે જાણે તીખા ભમરા જેવા છે !
અમારો ક્રોધ વગરનો ક્રોધ છતાંય તે ઘડીએ મને સહેજેય ક્રોધ ચઢ્યો નહોતો. જેને આપણા લોકો ફૂંફાડો કહે છે ને, એ ફૂંફાડો જ હતો. પણ સામાને તો શુંય થઈ જાય !
અમે તો “જ્ઞાની', સંપૂર્ણ ક્રોધ વગરના, છતાં અમારો આ ક્રોધ તો જુઓ !
પ્રશ્નકર્તા : ક્રોધ વગરના છતાં ક્રોધ જુઓ.
દાદાશ્રી : હા, ક્રોધ વગરના જ છીએ, છતાં આ જ્ઞાનીનો ક્રોધ જુઓ, કહ્યું. ભસ્મીભૂત કરી નાખશે.