________________
[૧૨] દાદાએ કર્યું ત્રાગું પણ નાટકીય
૨૪૩
દાદો તો આખી દુનિયાનો દાદો છે ! કોઈનેય ત્રાસ ના થાય, તો એ છોકરીઓને પણ કેમ ત્રાસ અપાય ? તમે દેવી જેવા ! નહીં ? અને કેવડી મોટી ભૂલ કરી છે આ !
પ્રશ્નકર્તા : દાદા, એ નાટક તો કરવું પડે ને ? એ નાટક કરવા જ પડે બધા.
દાદાશ્રી : તે તેલ, ગોળ, ઘી બધું ભેગું કરીને, બધું વાસણો કાચના-બાચના ભાંગી નાખ્યા. ચંદ્રકાંત કહે, “શીખી ગયો દાદા.” કહ્યું,
હા, ડાહ્યો થઈ જા. વહુને બા કહેવાનો વખત નહોય !” ભાણાભાઈ પણ શીખી ગયા.
દાદા તો “જ્ઞાની પુરુષ', કોઈ એમને કહે, ‘તમને ડૉલર નહીં મળે', તોય દબાય નહીં.
પ્રશ્નકર્તા : હા, “ડૉલર નહીં મળે', તોય એ દબાય નહીં.
દાદાશ્રી : હા, દબાય નહીં. જ્ઞાની પુરુષ કોઈને દબાવે નહીં અને કોઈનાથી દબાય નહીં.
કર્યું'તું જ એવું કે ખો ભૂલી જાય ચંદ્રકાંતભાઈ બેઠા'તા, ભાણાભાઈ હતા, બધા મળીને દસ જણ હતા. બધાને કહ્યું, “શીખજો.” પણ બીજે દહાડે શું થયું, એનું ફળ શું આવ્યું જાણો છો ? ઊલટા હીરાબાને કંઈક સમજણ પાડ પાડ કરે, “ભાઈને ઉપાધિ થાય એવું ના કરવું. કો'ક આવે તો છો આવે. આપણે માથાકૂટમાં ના પડવું.” ઊલટા સવળું શિખવાડવા માંડ્યા. કારણ કે એમના મનમાં એ ભડક પેસી ગઈ કે હવે જે કંઈ થશે તે આપણે માથે જ આવવાનું છે. માટે આપણે હવે ચેતતા રહેવું. “મેં નાટક કર્યું'તું જ એવું, કે ફરી આ કરતા હોય તો ખો ભૂલી જાય !”
પ્રશ્નકર્તા: તે કોઈ વખત કરવું પડે આવું. દાદાશ્રી : નહીં, અવળું હંડ્યું આવા સારા માણસને ? આ