________________
૨૪૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
કોઈનું કશું સાંભળે નહીં. ત્યાં બેસે ને સામે ઓટલે, પણ કોઈનું ઊલટું સાંભળવાનું નહીં, એવું કશુંય નહીં. એક આ ધર્મ સંબંધમાં આ લોકોએ ઘાલી દીધું કે “આ દાદાની આબરૂ નહીં રહે, આ બધી છોકરીઓ દર્શન કરવા આવે છે. તે એ પેઠું એમને અને પેઠું એટલે પછી મારે કાઢવું તો પડે ને ?
એટલે શું કહ્યું ? “હીરાબામાં હાથ ઘાલ્યો ? હીરાબામાં પૉઈઝન નાખ્યું, એમનામાં પૉઈઝન ?” રાગે પડી જાય કે ના પડી જાય પછી ? પછી તો હીરાબાને કોઈ કહેનારેય બંધ થઈ ગયા. આવું બીજું કશુંય બોલે નહીં, કારણ કે “બોલીશું તો આપણે માથે આવશે” કહે છે. જો એ રસ્તો બંધ કરી દીધો. આપણે લોકોને કહેવા જઈએ કે ભઈ, આવું તેવું હીરાબાને ના કહેશો, તો વધારે ને વધારે કહે. પણ જો એક દહાડો જુલાબ આપ્યો તે હડહડાટ, રાગે પડી ગયું ને ! એવું કંઈ તો કરવું પડે જ ને, નહીં તો તો રોજ-રોજ બારણા ખખડાવે. રોજ બારણા ખખડાવે કે ના ખખડાવે ? પછી નથી કરવું પડ્યું. પછી કોઈ દહાડો નહીં. એટલી દવા હજુ યાદ હશે એમને યાદ છે એમને ?
પ્રશ્નકર્તા : હા, કહે છે ને ! દાદાશ્રી : પછી એમની મેળે બધું ભરવા માંડ્યા, મહીં આવીને. બફર બન્યા, હીરાબા ને છોડીઓના કલ્યાણ કાજ
પ્રશ્નકર્તા : મેં બાને પૂછયું'તું, ‘બા, પછી તમે શું કર્યું, આ બધું દાદાએ ઢોળી નાખ્યું ત્યારે ?” ત્યારે બા કહે, “શું બોન, મેં તો વેણી લીધું ને પછી ચા ને ખાંડ ભેગું જ હતું કે, તે એની ચા બનાવી.”
દાદાશ્રી : ના, એય ચગ્યું'તું આમ, કોઈ દહાડો ચગે નહીં. આ પેલા લોકોએ શિખવાડી રાખેલું બધું. જરાક વધારે કરશો, એટલે છોડીઓ જતી રહેશે, પછી પેસશે નહીં' કહે છે. કો'ક વખત આ જ્ઞાનીનો અવતાર હોય ને બિચારી છોડીઓ દર્શન કરવા આવે, તે જંપીને દર્શન તો કરવા દો લોકોને.