________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
એટલે પછી ચા-ખાંડના ડબ્બા બધા, ગમે તેમ ફેંક ફેંક કરી બધું ભેગું કરી નાખ્યું. એટલે આડોશીઓ-પાડોશીઓ કહે, ‘ભઈ, પગે લાગીએ છીએ, આવું ના કરો, આવું ના કરો, આટલો બધો ક્રોધ ?' મેં કહ્યું, હા, જુઓ ક્રોધ, શિવનું સ્વરૂપ તો જુઓ આ ! મહાદેવજીનું !' એય બધું ફેંક ફેંક, જાણે ચારસો વોલ્ટ પાવર ના અડ્યો હોય ! બધાનો રગડો કર્યો.
૨૪૦
માટલાને તિરાડ પડે પછી...
ચંદ્રકાંત તો ગભરાઈ ગયો બિચારો. હીરાબાય ગભરાઈ ગયા. પાડોશવાળા તો કહે, ‘ભઈ, ભઈ, તમે વીતરાગી માણસ, આવું ના થાય.’ મેં કહ્યું, ‘વીતરાગી જ આવું કરે ! કોણે કર્યું આ ? આ રોગ કોણે ઘાલ્યો ? પકડી લાવો.' બધા છોડાવવા આવ્યા. બાજુવાળા એક બેન આવ્યા, ‘ભઈ, ભઈ, ના થાય આ.’ મેં કહ્યું, ‘ના ચાલે.’ ‘એમની જિંદગી ખરાબ કરીને, તમે લોકોએ ?’ ત્યારે કહે છે, ‘શું જિંદગી ખરાબ કરી ?’ મેં કહ્યું, ‘હવે છૂટું રહેવાનું થયું એમને. આજે હીરાબાને અમે ત્યાં ભાદરણમાં આર.સી.સી.નું સરસ મકાન બાંધ્યું છે, તે ત્યાં મોકલી દઈએ છીએ અને દર મહિને જેટલા જોઈતા હોય, પાંચસો-હજાર રૂપિયા મોકલ્યા કરીશું. હવે ભેગું ના રહેવાય મારાથી.’ ‘ભઈ, આ શું બોલો છો ?” ‘માટલાને તિરાડ પડી, પાણી નહીં રહે હવે.' શું કહ્યું મેં ?
પ્રશ્નકર્તા : માટલામાં તિરાડ પડી, પાણી નહીં રહે અંદર.
દાદાશ્રી : ‘હવે પાણી ના રહે, કહ્યું. તિરાડ પડી ગઈ. ભલે ભાંગ્યું નહીં, પણ તિરાડ પડી ગઈ. પાણી રહે નહીં ત્યારે પછી માટલાને કરવાનું શું ?'
મેં કહ્યું, ‘હવે હીરાબા ને અમે બે જુદા રહેવાના છીએ. એટલે હવે પછી તમતમારે વાતોચીતો કરજો. એટલે આજુબાજુવાળા સમજે કે ભઈ તો બોલ્યા એ ફરી ફરશે નહીં.’ ‘ભઈ, આવું ના થાય, આવું ના થાય, બા દેવી જેવા.’ ‘કોણે મોક૨ી મારી (ચઢવણી કરી, કાન ભંભેરણી કરી) આવી ? તિરાડ પડી ગઈ માટલાને આખી.' શું પડી ગયું ?