________________
૨૩૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
નીરુમા : બા, કોઈ દહાડો માર્યા'તા દાદાએ તમને ? હિરાબા : ના. નીરુમા : કોઈ દહાડો તો ચોડી દીધી હશે, બા, એકાદવાર ? હીરાબા : ના.
નીરુમા : એકવાર, એકવાર, તમે ભૂલી ગયા, બા. તે દહાડે કહેતા'તા ને ? હીરાબા : ના, એકેય વખત નથી મારી.
જ્ઞાન પછી લાગ્યો ફેરફાર નીરુમા : બા, આ દાદાને અઠ્ઠાવનમાં જ્ઞાન થયું ને, પછી દાદામાં શું ફેરફાર જોયો તમે ? તમને ખબર પડી તરત ? તમને બા, કયારે ખબર પડી દાદાને જ્ઞાન થયું છે ?
હિરાબા : મને તો પડેલી જ છે ને !
નીરુમા : ના, એવું નહીં, બા. દાદાને જ્ઞાન થયું ને, અઠ્ઠાવનની સાલમાં પણ...
હીરાબા: એ તો રણછોડભાઈ સાથે હતા ને, ત્યાં સુરતના સ્ટેશને થયું.
નીરુમા : પણ તમને પછી ખબર ક્યારે પડી ? હીરાબા : મને તો ખબર પડી છે, પણ તોય હજુ તીખા ભમરા
જેવા.
નીરુમા : “તીખા ભમરા જેવા છે', કહે છે. જ્ઞાન તો થયું પણ તીખા ભમરા જેવા છો.'
દાદાશ્રી : એ તો પહેલા હતો ને ! અત્યારે છું ? હીરાબા : ના, ના, હજુય ખરા.