________________
[૧૨] દાદાએ કર્યું ત્રાગું પણ નાટકીય
૨૩૭
બૂમ પાડી ઊઠ્ય ! આ બૂમ કોણે પાડી ? કોઈ દહાડો પડતી નથી ને કહ્યું. તે ગભરાયા કે “આ તો સમજી ગયા બધું.” “અરે ! ના સમજે ત્યારે કંઈ કાચા છે ? તમને પૈણ્યા ત્યારથી સમજીએ છીએ” કહ્યું. આ તમારું ન્હોય. હીરાબા, તમે નહોય આ. કંઈક વળગ્યું છે આ ! હીરાબા કોઈ દહાડો એવું કરે નહીં. અમારા ઘરની ખાનદાની નહીં આવી ! અમારા બા હોય તોય આવું કોઈ દા'ડો સાંભળવામાં ના આવ્યું હોય. અમારે ત્યાં ઘરમાં રિવાજ જ નહીં આવો. પેલી છોડી ભડકીને ભાગીને જતી રહે એટલા હારુ જ, મને ભડકાવવા માટે નહીં. છોડીઓ જાણે કે હમણે હીરાબા વઢશે. તે છોડી આમ વિધિ કરતી કરતી ભડકીને ધ્રુજી ગઈ.
તે મને બહુ ખરાબ લાગ્યું કે અરેરે, આ દશા ! અહીં તમને તરછોડ મારવાની મળી, છોકરીને ? મને બે ગાળો ભાંડવી હોય તો વાંધો નહીં. આ બિચારી એને અશાંતિ રહે છે તેથી દર્શન કરવા આવી છે. શું થાય પણ ?
એમને આ છોકરી દર્શન કરે, એ ગમતી નહોતી. મેં કહ્યું, “આવું શા માટે ? કોઈને ત્રાસ પડે, એવું ના કરો. તમને શોભે નહીં, તમે મોટા માણસ થયા.” ત્યારે કહે, “ના પણ મને આ બધું ગમતું નથી.” તો મેં કહ્યું, “આપણે જુદું કરી નાખીએ. તમારું મને બધું ગમે છે, મારું તમને નથી ગમતું, માટે આપણે જુદું કરી નાખીએ.”
દાદાએ ભજવ્યો વેશ. હવે ત્યારે આપણા ચંદ્રકાંતભાઈ ને એ બીજા બધા હતા, તેમને પાઠ શીખવા માટે મેં કહ્યું, ‘તમે આજ પાઠ શીખજો, આજ દાદા વેશ ભજવે છે.”
એટલે પછી અમે મોટેથી, જોશથી પેલા સામાવાળા ઘરના સાંભળે, આજુબાજુના સાંભળે એ રીતે કહ્યું, “આ હીરાબા જેવી દેવીને કોણે આ દવા નાખી ? જે એમનામાં હતું નહીં એ ક્યાંથી આવ્યું આ ? કોણ મૂઆ નાલાયકો છે કે આવી ભેળસેળ કરી.” તે રસ્તો છોડીને પેલી