________________
[૧૦] દાદા ભોળા, હીરાબામાં કપટ?
૨૧૧
પાછો. મારી પાસે રહે નહીં કશુંય. હમણે આજ આવે ને પાંચ લાખ, તે પાંચ લાખ આપી દઉં. મારી પાસે કશું રહે નહીં. એટલે અમારા ભાગીદારે કહેલું કે “તમારી પાસે રૂપિયા હાથમાં રાખવા જેવા નથી.” મેંય “ના” કહી દીધું. મેં કહ્યું, “આપશો જ નહીં. કારણ કે મારી પાસે રહે નહીં. હીરાબાય કહે કે “તમને તો પૈસો અપાય જ નહીં.” ત્યારે મેં કહ્યું, “ના આપશો. આપશો જ નહીં ને !' કોઈક આવ્યો ને ઢીલો થયેલો દેખ્યો કે કબાટ ઉઘાડીને આપી દેવાનું. એટલે હીરાબાય આજ ભોળા' કહે છે. “એ રીતે હું ભોળી નહીં એવું કહે એ.
પછી તો કૂંચી જ સોંપી દીધી પ્રશ્નકર્તા: વ્યવહારમાં તો આ આપની સાથે છેતરપીંડી જ થઈને?
દાદાશ્રી : એટલે મહીં છેતરાવાનું હશે, કારણ કે પેલું સામાનું દુ:ખ જોઈને સહન ના થાય. એ તો આ જ્ઞાન થયા પછી સહન થાય, નહીં તો પહેલા બિલકુલેય સહન ના થાય. કબાટ ઉઘાડીને આપી દઉ જે હોય તે, તે એમને ગમે નહીં.
પાછા હીરાબા શું કહે ? “તમે ભોળા, બધાને આપ આપ કરો છો ! પછી પાછા તો આવતા નથી.” મેં કહ્યું, “આપશે હવે, બળ્યું મેલોને પૈડ.” પણ હવે એ કચકચ કર્યા વગર રહે નહીં ને ! એ આપે નહીં અને આપે તો પાછા માગે. હું તો પાછા માગું નહીં. માગવાનું એટલે મરવું એવું મને લાગે. મારું આપેલું પાછું માગવું એ મને પેલું નવું લેવા જવા કરતાય વધારે કડવું લાગે.
પ્રશ્નકર્તા : ના, પણ પૈસાની બાબતમાં હીરાબાએ કહ્યું કે, “તમે આપ આપ કરો છો, પણ લોકો કંઈ આપતા તો નથી પાછા.” પછી તમે એમને કેવી રીતે સમજાવતા'તા ?
દાદાશ્રી : ના, સમજાવું નહીં. પછી એવું વારેઘડીએ બોલ બોલ કરે, એટલે પછી હું કંટાળ્યો. એટલે પછી મેં કહ્યું, ‘લ્યો આ ચાવી, તમે વાપરો હવે. હવે તમે કરજો વહીવટ.' એટલે મારે લોકોને કહેતા ફાવ્યું,