________________
[૧૧] દાદા તીખા ભમરા જેવા
૨૨૯ પ્રશ્નકર્તા : આપણને પણ એ મારે ને ?
દાદાશ્રી : કો'ક દહાડો આપણને વાગી જાય. ગાય શિંગડું મારવા આવે તો આપણે આમ ખસી જઈએ, તેવું અહીં પણ ખસી જવાનું !
સુધારવું તો ક્યારે કહેવાય કે ગમે તેવી વાઈફ અકળાઈ જાય, પણ આપણે ઠંડક ના મૂકીએ ત્યારે સુધારી કહેવાય.
નહીં બોલવાથી જ વજન પડે હીરાબાને અમારે કોઈ દહાડો વઢવાનું નહીં. ઊંધું-છતું થાય તોય વઢવાનું નહીં. વઢું તો નાલાયક કહેવાઉ. સ્ત્રીઓને વઢાય નહીં. વઢવું એ ગુનો છે.
પ્રશ્નકર્તા : હીરાબાથી ખાવાનું ખરાબ થાય તો પણ ના લઢો ? રસોઈ બરાબર ના થઈ હોય તોય ના લઢો ?
દાદાશ્રી : રસોઈ બરાબર ના થઈ એમ નહીં, એ આમ દેવતા લઈને જતા હોય ને મારી પર પડે તોય ના લટું.
પ્રશ્નકર્તા : તો પછી આપનાથી ગભરાય કેમ ?
દાદાશ્રી : એ જ, હું ના લટું એટલે જ ગભરામણ પેસે. લઢવાથી માણસનું વજન તૂટી જાય. એક ફેરો કૂતરો ભસ્યો, એટલે કૂતરી સમજી જાય કે આમાં બરકત નથી. જો ભસે નહીં, તો કૂતરી ભડકી જશે. એક ફેરો ભોં ભોં ભોં ભસ્યો એટલે કૂતરી સમજી જાય કે આ બરકત વગરનો છે.
સ્ત્રીનું જો માન રાખતા હોય તો જ એ પુરુષ કહેવાય. મેં તો ઠેઠ સુધી હીરાબાનું માન રાખેલું. એ વઢે તોય ચલાવી લઉં. કારણ કે એમનું મન નબળું હોય, પણ મારું મન કંઈ નબળું છે ? તમે મને વઢો, માટે કંઈ મારાથી તમને વઢાય ?
- એ નહીં બોલવાથી જ વજન પડે. “ભાભો ભારમાં તો વહુ લાજમાં.” એ સમજાય એવી વાત છે ?