________________
૨૧૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨) હીરાબા : એ કાચા કાનના, તે કોઈ કહે ને ભોળવે એટલે ભોળવાઈ જાય.
પ્રશ્નકર્તા (હીરાબાને) : ના, તમે હજુ ભોળા છો. હીરાબા : ના, હું ભોળવાઉ નહીં.
દાદાશ્રી : પહેલા હું એમને કહેતો હતો ‘કાચા કાનના', હવે એ મને કહે છે. જો બદલો વાળ્યો કે નહીં ?
નાનપણથી પાકા મારા જેવા તો ભોળા કો'ક જ હોય, નહીં ? હીરાબા ઃ તમે ભોળા નથી. દાદાશ્રી : એમ ! હીરાબા : તમે તો લોકોની ચોટલિયો લઈ જાવ. નીરુમા : એ કહે છે, તમે લોકોની ચોટલિયો લઈ જાવ છો. દાદાશ્રી : એમ ? નીરુમા : ભોળા નથી. દાદાશ્રી : પણ તમે મારી ચોટલી લઈ લો છો ને ?
નીરુમા : દાદા, તમે કહ્યું, કે “બધાની ચોટલી મેં કાપી, તો મારી ચોટલી તમે કાપી.” તો કહે, “હું તો કશું બોલી નથી. મેં કંઈ તમારી ચોટલી કાપી છે ?”
દાદાશ્રી : તમે કાપી લીધેલી. એ તો એવું કહેતા'તા, કે તમે ભોળા છો ને તમે આપી ના દેશો કોઈને કશું. મારા કરતા હોશિયાર તો એ કહેવાય ને, ભોળા માણસ ના કહેવાય એ તો. તે નાનપણથી જ પાકા, કંકુબાએ શિખવાડેલું ને, તે આ બધું આવડે. ચોટલી લઈ જવી - છેતરવું