________________
[૧૦] દાદા ભોળા, હીરાબામાં કપટ?
૨૧૭
પૂરવાનું મારા હાથમાં. પણ એ ખર્ચય ખરા ને, મારા હારુ. તેટલું મારી પાસે સિલ્લક બચે.
પ્રશ્નકર્તા : પણ અમને આ બધું જ્ઞાન મોડું મળ્યું, દાદા. પહેલેથી મળ્યું હોત તો અમેય આવું પાકું રહેત.
દાદાશ્રી : ના પણ, હું બહુ પાકો, આ બધાય કરતા. પણ કેવું? પેલા સામાને એમ જ લાગે. બિચારા દાદા જુઓ ને, એમનો પોતાનો સ્વાર્થ જોતા નથી ને મારો સ્વાર્થ જોયો. એટલે એને એમ લાગે કે દાદા ભોળા છે જરા. દાદાય જાણીને જવા દે છે. એક તલભાર અજાણ્ય જતું નથી.
પ્રશ્નકર્તા: અમારા વાણિયાના કાન કાપી લે એવા પાકા છે દાદા.
દાદાશ્રી : વાણિયાનેય ઓટીમાં ઘાલીને ફરું. કારણ કે જેને જેટલી સમજણ હોય ને, એટલો એને સ્વાર્થ કરતા આવડે. અણસમજુ હોય તે તો એમ જ જાણે કે આ જ બધો સ્વાર્થ છે જગતમાં. સમજણવાળો હોય તે કહેશે, ખરો સ્વાર્થ તો મારી જાતનું લઈ જઉ તે જ. બાકી આ તો ગૂંચાયેલો. અને હું તો ખરો સ્વાર્થ સમજી ગયેલો, મને મોહ જ નહીં ને, એટલે તમારા કરતા વધારે સમજણ.
પ્રશ્નકર્તા: તમારી ચોપડી વાંચતા એવું લાગે જ છે. અમુક દાખલા એવા છે તમારા કે તરત ખબર પડી જાય કે દાદાનું આવું છે એમ.
દાદાશ્રી : હા, એટલે ફરી આ સંજોગ ભેગો નહીં થાય એટલા માટે બૂમ પાડું છું. આ જે સંજોગ છે ને, એ ટૉપમોસ્ટ (સર્વશ્રેષ્ઠ) સંજોગ છે. ફરી ભેગો નહીં થાય. એટલા માટે કહેલું. કારણ કે તું જાણતો નથી ને હું જાણું છું કે આ સંજોગ કેવો છે !
દાદા-હીરાબા સાથે વાતો
બા દાદાને કહે “કાચા કાવતા' દાદાશ્રી : હીરાબા એમેય કહે, ‘હું ભોળી નથી.” નીરુમા (હીરાબાને) : દાદા ભોળા છે ?