________________
[૧૧] દાદા તીખા ભમરા જેવા
૨૨૫ હીરાબા બોલે સહજભાવે, દાદા જુએ પોઝિટિવ
હીરાબા ચોખ્ખું બોલે. “મારે ને તારે નહીં ફાવે એવું કહી દે. સ્વાર્થની ભાંજગડ નહીં કે આ મારી સેવા કરે છે, એવું તેવું કશું નહીં. મારી જોડેય ચોખ્ખું બોલે. કારણ કે પ્યૉરિટીને (શુદ્ધતાને) બધી. સહજભાવે જે આવે એ બોલવાનું ને ! ડખોડખલ નહીં કે કોઈની શરમબરમ રાખે નહીં. મર્યાદા-બર્યાદા કંઈ રાખે નહીં. પેલો દાક્તર એમનું ઑનરરી (વગર ફી એ) કામ કરતો હતો તોય કહે કે “તીખો ભમરા જેવો છે, તીખો લ્હાય જેવો છે.” મેં કહ્યું, “આવું ના બોલાય આપણાથી.”
પ્રશ્નકર્તા: પેલા કસરત કરાવવા આવતા હતા ને, ગોહિલ દાક્તર. એ પહેલે દહાડે આવ્યા. તે એણે કહ્યું કે તમારે રોજ ઝાડું કાઢવાની કસરત કરવાની. રોજ ઝાડું કાઢજો.' તો બા પેલાને કહે છે, “આજનો દહાડો તું કાઢ. કાલથી હું કાઢીશ.”
દાદાશ્રી : એવું બોલ્યા ! ભારે કહેવાય. પછી શું થયું એને ?
પ્રશ્નકર્તા: બધા હસતા હતા. બા તો સહજ ભાવે બોલેલા. એમને એમ કે “મારાથી આ નહીં થાય, માટે તું કાઢ' કહે છે.
દાદાશ્રી : સહજભાવે બોલ્યા હતા ? પ્રશ્નકર્તા: એમનું બધું સહજ જ હોય, રાગ-દ્વેષવાળું ના હોય. દાદાશ્રી : એટલે પેલો હસે. પ્રશ્નકર્તા: તમને જે કસરત કરાવવા આવતો હતો ને ત્યાં, એ ?
દાદાશ્રી : હા, તે જ, તે જ. પણ એને આમ સહજતાથી બોલે એટલે ખોટું ના લાગે.
પ્રશ્નકર્તા : ના, ના.
દાદાશ્રી : ‘તું ઝાડું કાઢ, પછી હું કાઢીશ.” આવું બોલે. અરે, મોટા દાક્તરનેય આવું બોલે.