________________
[૧૦] દાદા ભોળા, હીરાબામાં કપટ ?
૨૧૫
દાદાશ્રી : પણ આપી દીધું ને, તેથી અમને ભોળા કહે છે ને !
પ્રશ્નકર્તા ઃ બીજું શું શું આપી દીધેલું ?
હીરાબા : બીજું તો શું આપે, બીજું તો ના અપાય.
પ્રશ્નકર્તા : તમે ના આપવા દો ?
હીરાબા : ના રે.
પ્રશ્નકર્તા : તમે જાણો તો શું કરો ?
હીરાબા : હું જાણું તોય શું કરું, આપી દે ત્યારે તો ?
પ્રશ્નકર્તા : તમે આંતરો નહીં ?
હીરાબા : આંતરીએ, કહીએ સ્તો. એ ના માને, તે પછી જાય. સારા કામમાં ભેલાડવાની જ કામતા
દાદાશ્રી : એટલે જે માગે એ આપી દઉ, કશું રહેવા ના દઉ પાસે, એવો હતો સ્વભાવ. આ જ્ઞાન થયા પછી એમાં હાથ ના ઘાલું ને !
પ્રશ્નકર્તા : હજુય એવું જ રહ્યું છે, દાદા. જ્ઞાન બધાને આપી દો છો, જે માગે એને જ્ઞાન આપી દો છો.
દાદાશ્રી : હા, બધુંય આપી દઉં. મારી પાસે હોય એ બધુંય આપી દઉ. હાથમાં આવવું જોઈએ, રૂપિયા હોય તો રૂપિયાયે આપી દઉ. હાથમાં આવે ત્યારે.
અમારા હાથમાં તો ૨હે નહીં ને ! કશુંય ના રહે. અમારે જોઈતુંયે નથી કશું. આ દેહેય ભેલાડવાનો જ છે, પણ સારા કામમાં ભેલાઈ જાય તો બહુ સારું. કયા કામમાં ભેલાઈ જાય તો ?
પ્રશ્નકર્તા : સારા કામમાં,
દાદાશ્રી : નહીં ?
પ્રશ્નકર્તા : એમ જ થઈ રહ્યું છે ને !