________________
૨૧૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
ને એમાં ભરાઈ જાય છે.” ત્યારે મેં કહ્યું, “શું છે પણ તમારે ?” ત્યારે કહે, “આ ઘડિયાળ મારી પાસે હોય તો બહુ સારું !' કહ્યું, ‘લઈ જાવ ત્યારે તમારું ચિત્ત એમાં ભરાઈ રહે છે, અને તમે લઈ જાવ.” તે અમારા ભાગીદારે લઈ આપ્યું હતું ઘડિયાળ તેય જતું રહ્યું. તે પૈસાય ના લીધા ને કશુંય નહીં. એ જાણી ગયા કે આપી દીધું.
હિરાબા : હા, તે આવું તે અપાતું હશે ?
દાદાશ્રી : જાણીજોઈને આપેલું સારું ને, તે જમે થાય. એ ઘડિયાળ તો કો'કને લઈ જવાનું મન થાય એવું હતું. બહુ સરસ ડિઝાઈનવાળું હતું ! સાત દહાડાની ચાવી, અમારે પેલી રોજની ચાવી તો આપવાની ફાવે જ નહીં, અને સાત દહાડેય ચાવી આપવાનું અમારા ખ્યાલમાં ના આવે. તે ઘડિયાળમાં કોઈ દહાડો કાંટા સાચા નહીં રહેલા. કારણ કે સાત દહાડય ચાવી ના આપે, તો એનો શો ઉપાય છે ? એય ના આપે. તે આ ભાણાભાઈએ નક્કી કર્યું, તે ભાણાભાઈ રોજ ઘડિયાળને ચાવી આપે અને તારીખ ફાડે, તેઓ વીસ વર્ષથી કરે છે.
હીરાબા ઃ હજુય આપે છે. દાદાશ્રી : તમે કોઈ દહાડો ચાવી આપેલી ?
હીરાબા : ના.
દાદાશ્રી : જુઓ ત્યારે. હીરાબા : એ ભાણાભાઈ જ આપે.
દાદાશ્રી : હા, ઘડિયાળની ચાવી અમારે ત્યાં કોઈ આપે નહીં અને તારીખેય કોઈ ફાડે નહીં. સાત દહાડાની ચાવીવાળું ઘડિયાળ હતું, તોય ચાવી ના આપેલી હોય. સાત દહાડે ભૂલી ગયા હોય અને તારીખનું પાનું ફાડવાનું યાદ આવે નહીં. તે ત્રણસો પાંસઠ દહાડા તારીખ બદલાય નહીં.
હીરાબા : પણ એવું તે કોઈને ઘડિયાળ અપાતું હશે ?